Home મનોરંજન - Entertainment રણબીર કપૂરની શમશેરા કેજીએફ જેવી હોવાનું કહેવાઈ રહ્યું છે

રણબીર કપૂરની શમશેરા કેજીએફ જેવી હોવાનું કહેવાઈ રહ્યું છે

60
0

(જી.એન.એસ),તા.૨૩
મુંબઈ
રણબીર કપૂર તેના એક્શન અવતારના કારણે હાલ ચર્ચામાં છે. બ્રહ્માસ્ત્ર અને શમશેરામાં રણબીરે દિલધડક સ્ટન્ટ્સ અને એક્શન સીન્સ કર્યા છે. રીસેન્ટલી શમશેરાનું ટીઝર લોન્ચ થયા બાદ રણબીરની સરખામણી કેજીએફના રોકીભાઈ સાથે થઈ રહી છે. રણબીરનો લૂક અને કેરેક્ટર ઘણી રીતે રોકીભાઈ જેવું હોવાનું કહેવાય છે ત્યારે રોકીભાઈની પોપ્યુલારિટી અને બોક્સઓફસ પર જમાવેલા સામ્રાજ્યને પડકારવામાં રણબીર કપૂર સફળ રહેશ કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. શમશેરાના ટીઝરમાં રણબીર કપૂર અને સંજય દત્ત રફ એન્ડ ટફ લૂકમાં જાેવા મળે છે. માત્ર ૧૫ સેકન્ડના ટીઝરમાં આ બંને સ્ટાર્સની ટક્કર શ્વાસ ઊંચા કરી દે તેવી છે. સંજુ બાબા પછી રણબીરના દમદાર કમબેકનું એલાન આ ટીઝરે કર્યું છે. ફિલ્મના ટીઝરમાં જ કેટલાક એવા સીન્સ છે, જેને જાેઈને યશ સ્ટારર ફિલ્મ કેજીએફની યાદ આવે છે. શમશેરાના ટીઝરની શરૂઆતમાં એક સીનમાં કિલ્લા પરથી પાણી રેડવાનો સીન છે અને બીજાે સીન ગરીબ મજૂરો પર અત્યાચારનો છે. આ સાથે એક બાળક ચીસો પાડીને રડી રહ્યું છે. આ તમામ સીન કેજીએફની યાદ અપાવે છે. સંજય દત્તનો ખતરનાક લૂક પણ અધીરા જેવો જ છે. સંજય દત્તની લાંબી ચોટલી બિલકુલ અધીરા જ લાગે છે. ખલનાયકની જેમ રાડો પાડવાની આદત પણ અધીરા જેવી છે. ફિલ્મના ટીઝરમાં રણબીરને ગરીબોના મસીહાની જેમ બતાવવામાં આવ્યો છે, જે પોતાના ગામના માણસોને બચાવવા લડી રહ્યો છે. તેની એન્ટ્રી પણ રોકીભાઈની યાદ અપાવે છે. ટીઝરમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ, સિનેમાટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ કેજીએફની યાદ અપાવે છે.ર્ કેજીએફની જેમ જ એક સામાન્ય યુવાન ગરીબોનો તારણહાર બને છે. આ બંને ફિલ્મોની સ્ટોરી અને સીન્સની સમાનતા જાેઈને રણબીરની સરખામણી યશ સાથે થવાનું સ્વાભાવિક છે. વળી, ચોકલેટી હીરોની ઈમેજ ધરાવતા રણબીરનો આવો લૂક પણ પહેલી વાર સામે આવ્યો છે. રણબીરે તો યશની મોનોપોલીને ચેલેન્જ કરવાની તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે. હવે જાેવાનું રહ્યું કે તેની આ સ્ટોરી પર ઓડિયન્સ કેટલું ખુશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેત્રી કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાના વખાણ કર્યા
Next articleપુષ્પા ૨માં શ્રીવલ્લીનું મોત થઈ જશે !