Home દેશ - NATIONAL આરબીઆઈએ મહત્ત્વનો નિર્ણય; તમામ બેન્કોને નિર્દેશ, એટીએમમાંથી રૂ. 100 અને રૂ. 200ની...

આરબીઆઈએ મહત્ત્વનો નિર્ણય; તમામ બેન્કોને નિર્દેશ, એટીએમમાંથી રૂ. 100 અને રૂ. 200ની નોટ પણ નીકળે

11
0

(જી.એન.એસ) તા. 29

મુંબઈ,

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. 500ની જ નોટ નીકળે છે. 100-200ની નોટ ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ હવે આમ નહીં થાય. આરબીઆઈએ મહત્ત્વનો નિર્ણય લેતાં તમામ બેન્કોને નિર્દેશ  આપવામાં આવ્યા છે કે, એટીએમમાંથી રૂ. 100 અને રૂ. 200ની નોટ પણ નીકળે. 

આરબીઆઈ દ્વારા બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા હતાં કે, સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે. બેન્કોએ એટીએમમાંથી આ મૂલ્યના કરન્સી નોટ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરવી. બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સે આ નિર્દેશને તબક્કાવાર લાગુ કરવા કહ્યું છે. 

આરબીઆઈએ સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે, મોટાભાગે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે રૂ. 500ના મૂલ્યની નોટ જ નીકળે છે. આથી નાના અને સામાન્ય નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખતાં તમામ બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સને ખાતરી કરવા આદેશ છે કે, તેમના એટીએમમાંથી નિયમિત ધોરણે રૂ. 100 અને રૂ. 200ની નોટ નીકળે. 30 સપ્ટેમ્બર, 2025 સુધી તમામ એટીએમમાંથી 75 ટકા એટીએમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ નીકળવી જોઈએ. ત્યારબાદ આગામી તબક્કામાં 31 માર્ચ, 2026 સુધી 90 ટકા એટીએમમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાંથી રૂ. 100 અને રૂ. 200ના મૂલ્યની નોટ નીકળવી જોઈએ.