(S.yuLk.yuMk){wtçkE,íkk.29
ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નજીકના ભવિષ્યમાં પોતાની આગામી ફિલ્મમંા ડબલ રોલ કરશે એવી માહિતી મળી હતી. અત્યાર અગાઉ હેમા માલિનીએ સીતા ઔર ગીતામાં અને શ્રીદેવીએ ચાલબાજમાં ડબલ રોલ કર્યો હતો. અભિનેતાઓમાં તો ઘણાએ ડબલ રોલ કર્યો છે જેમાં દિલીપ કુમાર અને દેવ આનંદથી માંડીને હાલના અજય દેવગણ અને શાહરુખ ખાનનો સમાવેશ થાય છે. હવે ઐશ્વર્યા રાય બચ્ચને ડબલ રોલ કરવાની હા પાડી હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મને હજુ ટાઇટલ અપાયું નથી. હાલ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ફન્ને ખાન કરી રહેલી નિર્માત્રી પ્રેરણા અરોરાએ કહ્યું કે અમને ઐશ્વર્યા સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવ્યો હતો એટલે અમે એની સાથે બીજી બે ફિલ્મો કરવાના વિચારમાં છીએ. એમાંની એક ફિલ્મમાં ઐશ્વર્યાનો ડબલ રોલ હશે. જો કે એ ફિલ્મ વિશે વધુ માહિતી હાલના તબક્કે આપવાનો પ્રેરણાએ ઇનકાર કર્યો હતો. એણે કહ્યું હતું કે હાલ કંઇ પણ કહેવું વધુ પડતું વહેલું છે. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય પછી અમે જાહેર કરીશું. એ પછીજ ડબલ રોલમાં ઐશ્વર્યા સાથે કયા બે હીરોને લેવા એ પણ નક્કી થઇ જશે. ત્યાં સુધી હું વધુ કંઇ કહી શકું એમ નથી. દરમિયાન, એક અને અજોડ અભિનેત્રી નરગિસ દત્તની છેલ્લી ફિલ્મ ગણાતી રાત ઔર દિન (૧૯૬૭)ની રિમેકમાં ઐશ્વર્યા નરગિસ દત્તવાળો રોલ કરશે એ સમાચાર અમે આ સ્થળેથી તમને આપી ગયા છીએ.