Home ગુજરાત સ્વચ્છતાનો પ્રચાર કરનાર માહિતી ખાતાની કચેરીમાં જ ગંદકીનું સામ્રાજય…?

સ્વચ્છતાનો પ્રચાર કરનાર માહિતી ખાતાની કચેરીમાં જ ગંદકીનું સામ્રાજય…?

623
0

(જી.એન.એસ.) ગાંધીનગર, 14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે ગુજરાતના માહિતી ખાતાએ લાખો અને કરોડો રૂપિયાની જાહેરાતો આપી હશે પરંતુ તેની પોતાની ઓફિસમાં જ ગંદકી અને પાનની પિચકારીઓથી ઉભરાતાં વોશબેસીન જોઇને કોઇને પણ એમ થાય કે બીજાને ઉપદેશ આપનાર પોતે જ પાલન કરતું નથી. આટલું ઓછુ હોય તેમ છેલ્લાં 20 દિવસથી પાણી ગાયબ છે.
સરકારનું માહિતી ખાતુ સરકારની સિધ્ધિઓને પ્રજા સુધી લઇ જવાની મહત્વની કામગીરી કરે છે. માહિતી ખાતાએ સ્વચ્છતા અભિયાનની કેટલીય અખબારી યાદીઓ બહાર પાડી હશે અને પ્રદર્શનો પણ ગોઠવ્યાં હશે. પરંતુ પોતાની કચેરીમાં સાફ-સફાઇની નિયમિત ગોઠવણ કરવામાં માહિતી ખાતાના સત્તાવાળાઓ સાવ નિષ્ફળ ગયા છે. તેનો બોલતો પુરાવો આ ફોટા અને વિડિયો છે. વોશરૂમમાં પાણી નથી પણ ધાબા ઉપરથી નીચે સુધી પાણી પડ્યા કરે છે અને તેની કોઇ ચિંતા કરનાર નથી. દીવા તળે અંધારૂ કહેવતની જેમ માહિતી ખાતામાં ગંદકીનું સામ્રાજય ફેલાયેલું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશંકર ચૌધરીની તાનાશાહીથી બનાસકાંઠા ત્રસ્ત છતાં રૂપાણીનું મૌન કેમ….!?
Next articleભાજપ-એનડીએને હારાવા કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર ઃ શંકરસિંહ વાઘેલા