Home ગુજરાત સોલૈયા ગામે પ્રજાપતિ સમાજ દ્વારા બ્રહ્માણી-બહુચર માતાજીના હવનનો કાર્યક્રમ યોજાયો

સોલૈયા ગામે પ્રજાપતિ સમાજ દ્વારા બ્રહ્માણી-બહુચર માતાજીના હવનનો કાર્યક્રમ યોજાયો

575
0

(જી.એન.એસ.)માણસા,તા.૭
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામે આજરોજ બહુચર-બ્રહ્માણી માતાજીના હોમ-હવનનો કાર્યક્રમ સંપન્ન થયો. તાજેતરની વૈશ્વિક મહામારીના પગલે અત્યંત જરૂરી નિયંત્રણો સહિત સદર પાવન પર્વ ઉજવવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે ભવ્યાતિભવ્ય ઉજવણી કરી શકાય તેમ ન હોઈ જમણવાર અને અન્ય જાહેર ઉત્સવની પ્રક્રિયાવિધિ હાથ ધરાઈ ન હતી. માત્ર એક જ પાટલાની ઉછમણી કરવામાં આવી હતી. દાતાશ્રી સુનિલભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિએ મુખ્ય યજમાન પદે બિરાજમાન રહી હોમ-હવન સંપન્ન કર્યો હતો.
દેશ-વિદેશમાં વસતા સોલૈયા પ્રજાપતિ પરિવારના સ્નેહીજનોએ કાર્યક્રમની હ્રદયસ્થ શુભેચ્છાઓ પાઠવી આપી હતી. માતાજીના નૈવેદ્ય અને આરતીમાં યોગ્ય અંતર અને માસ્કનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, સુચારુ, સુવ્યવસ્થિત, સરાહનીય, રસપ્રદ, રોચક, પ્રભાવી, પુનિત-પાવન, અનુકરણીય બની રહ્યો હતો એમ સોલૈયા પ્રજાપતિ પરિવારના મહામંત્રી રાકેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરામ મંદિર ભૂમિપૂજન: માણસામાં ભાજપ દ્વારા ભગવાન રામની રંગોળીની આરતી ઉતારી ઉજવણી કરી
Next articleશહેરી વિકાસ યોજના અંતર્ગત માણસા નગરપાલિકાને ૧.૧૨ કરોડનો ચેક અર્પણ કરાયો