Home ગુજરાત સીએનજી ગેસમાં ઘટાડો થતાં વાહનચાલકોને રાહત મળશે

સીએનજી ગેસમાં ઘટાડો થતાં વાહનચાલકોને રાહત મળશે

62
0

(જી.એન.એસ),તા.૧૮
અમદાવાદ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવમાં ઘટાડો થતા જનતાને થોડી રાહત થશે. વાહન ચાલકોને આ ભાવ ઘટાડાથી મોટી રાહત થશે. તેમને કરવા પડતા ખર્ચમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો ઘટાડો થઈ જશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ૨ ઓગસ્ટના રોજ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો હતો. તેના બાદ આજે ૧૮ ઓગસ્ટ ભાવ ઘટાડાયો છે. મોંઘવારીના માર વચ્ચે લોકોને મોટી રાહત. અદાણીએ ઝ્રદ્ગય્ ના ભાવમાં ૩.૪૮ રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોએ ઝ્રદ્ગય્ ના ભાવમાં ૩.૪૮ રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાથી અદાણી ઝ્રદ્ગય્ નો પ્રતિ કિલોનો ભાવ ૮૩.૯૦ રૂપિયા થયો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી અદાણી ઝ્રદ્ગય્નો ભાવ સતત વધી રહ્યો હતો. સતત ભાવ વધારા બાદ હવે ઝ્રદ્ગય્ના પ્રતિ કિલોના ભાવમાં ૩.૪૮ રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સાને રાહત મળશે. નવો ભાવ આજથી લાગુ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી સરકારને પુછ્યા વિના કેન્દ્ર રોહિંગ્યાના પુનર્વાસનું પ્લાન કરી રહ્યું છે : મનીષ સિસોદિયા
Next articleરેલવેએ ટ્રેનમાં યાત્રા કરના બાળકોની ટિકિટ બુકિંગના સંબંધમાં કોઈ ફેરફાર કર્યો નથી