(જી.એન.એસ) તા. 14
હૈદરાબાદ,
આઈપીએલ 2025માં રમનારી એક ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, તે હોટલમાં સોમવારે સવારે આગ લાગી હતી. જો કે, મહત્ત્વની વાત એ છે કે, ટીમના દરેક ખેલાડી સુરક્ષિત છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હોટલના એક માળ પર આગ લાગી હતી. જોકે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આ આગ લાગવની ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ હોટલની અંદર હાજર લોકો બહારની બાજુ દોડી આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવી લેતા કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.