(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
દેશનાં તમામ આઈએએસ અધિકારીઓને આવતા મહિના સુધીમાં પોતાની સંપત્તિની જાહેરાત કરવા માટે મોદી સરકાર દ્વારા કહેવાયું છે. સરકારે આ અધિકારીઓને ચેતવણી આપી છે કે, જો તેઓ આવતા મહિના સુધીમાં સંપત્તિ જાહેર નહીં કરે તો તેમને પ્રમોશન નહીં અપાય તેમજ વિદેશી પોસ્ટીંગ માટે જરુરી વિજીલન્સ ક્લિયરન્સ નહીં અપાય. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી) એ તમામ કેન્દ્રિય સરકારના વિભાગો, રાજ્યો અને સંઘપ્રદેશોને 31 જાન્યુઆરી 2018 સુધી આઇએએસ અધિકારીઓની પાસેની અચલ સંપત્તિ રિટર્ન્સ રજુ કરવા જણાવ્યું છે.
વધારાના સચિવ પી.કે.ત્રિપાઠીએ કહ્યું કે 4 એપ્રિલ 2011ના ડીઓપીટીના આદેશને ધ્યાનમાં રાખીને આ સુચન દોહરાવ્યું છે કે સમય સમયે આઇપીઆર રજુ કરવામાં નિષ્ફળ જનારાઓને વિજિલન્સ ક્લિયરન્સ નહીં અપાય. 2011ના આદેશ મુજબ જે અધિકારીઓએ 1 જાન્યુઆરી 2018ના દિવસે પોતાના આઇપીઆર જમા નહીં કરાવે તેને સતર્કતા મંજુરી નહીં અપાય. ભારત સરકારના વરિષ્ઠ સ્તરના પદો માટે પ્રમોશન અને પેનલ માટે વિચારણા કરાશે નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.