Home મનોરંજન સંજય લીલાનો આભાર વ્યક્ત કરી રહી છે અનુપ્રિયા

સંજય લીલાનો આભાર વ્યક્ત કરી રહી છે અનુપ્રિયા

1006
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
પદ્માવતિ ક્યારે રિલીઝ થશે એ નક્કી નથી. પણ આ ફિલ્મમાં રાજા રાવલ સિંહ (શાહિદ કપૂર)ની પહેલી પત્નિ બનેલી અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા નિર્દેશક સંજય લીલા ભણશાલીનો સતત આભાર વ્યક્ત કરી રહી છે. ફિલ્મમાં દિપીકા પાદુકોણ શાહિદની બીજી પત્નિના રોલમાં છે. તેની પહેલી પત્નિ રાની નગ્માવતિનો રોલ અનુપ્રિયાએ નિભાવ્યો છે. આ અનુપ્રિયા સલમાન ખાનની બ્લોક બસ્ટર ટાઇગર જિંદા હૈ ફિલ્મમાં પૂર્ણા નામની નર્સના રોલમાં છે. અનુપ્રિયા કહે છે કે પદ્માવતિનું શુટીંગ ચાલુ હતું ત્યારે જ મને ટાઇગર જિંદા હૈ માટે રોલ ઓફર થયો હતો. તેમાં પણ કામ કરવાની મને સંજય લીલા ભણશાલીએ હા કહી હતી તે માટે હું તેનો સતત ઉપકાર માનુ છું. તેણે ધાર્યુ હોત તો મને ના પાડી હોત. પરંતુ તેણે મને રોકી નહોતી. સેટ પર દિપીકા, શાહિદ અને સંજય ભણશાલી પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

Previous article“બોલીવૂડ ક્યારે ગંદા રહસ્યો ખુલ્લા કરશે?”: શ્રુતિ સેઠ
Next articleવડોદરામાં મહાનગરપાલિકાની તિજોરીમાં આવક ઘટતા મિલકતોના બાકી વેરાની વસૂલાત માટે ખાસ ટીમ તૈયાર