Home વ્યાપાર જગત વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી...

વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ અને રિયલ્ટી શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૭.૨૦૨૨ ના રોજ…

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૫૨૧.૧૫ સામે ૫૪૨૫૧.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૨૩૨.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૪.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૬.૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૭૬૭.૬૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૦૦.૨૫ સામે ૧૬૧૯૯.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૯૮.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૫.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૩૩૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવા વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની વ્યાજ દરના પગલાં સફળ નીવડી રહ્યા સાથે વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં તીવ્ર ઘટાડાની સાથે અમેરિકામાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો હોવાના અહેવાલે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા હવે વ્યાજ દરમાં મોટો વધારો નહીં થવાની શકયતાએ અમેરિકી શેરબજારમાં તેજી પાછળ આજે વિશ્વના બજારોમાં અપેક્ષિત તેજી આવી હતી. આ સાથે ચાઈનામાં પ્રોપર્ટી પ્રોજેકટોને ટેકો આપવા બેંકોને સૂચના અને લિક્વિડિટી વધારવામાં આવ્યાને પગલે એશીયાના બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.

ભારતમાં ફુગાવા પ્રેરક પરિબળો હજુ જોખમી બની રહી અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ તૂટીને ૮૦ની નવી રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શવા સાથે જીવન જરૂરી ચીજોને જીએસટીમાં સરકારે લેતાં અપેક્ષિત નેગેટીવ અસર તેમજ કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોવા સામે ચોમાસાની સારી પ્રગતિ સાથે વૈશ્વિક સુધારાની ચાલે બજારમાં ફંડોએ આજે રિયલ્ટી શેરોની આગેવાનીએ સાથે બેન્કેક્સ, ઓટો, મેટલ અને સીડીજીએસ શેરોમાં તેજીએ બીએસઇ સેન્સેક્સ ૨૪૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન દિવસમાં રૂ.૦.૯૬ લાખ કરોડ વધીને રૂ.૨૫૬.૩૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૪ અને વધનારની સંખ્યા ૨૦૩૪ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…

મિત્રો, નોમુરા બાદ હવે મોર્ગન સ્ટેન્લીએ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડી ૭.૨૦% કર્યો છે. અગાઉના અંદાજ કરતા ૪૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે, એમ મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આ અગાઉ નોમુરાએ ૨૦૨૩ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ૫.૪૦% પરથી ઘટાડી ૪.૭% કર્યો હતો. મોર્ગન સ્ટેન્લીએ નાણાં વર્ષ ૨૦૨૪નો અંદાજ ૩૦ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૬.૪૦% કર્યો છે. વૈશ્વિક વિકાસનો ટ્રેન્ડ અપેક્ષા કરતા નબળો જણાઈ રહ્યો હોવાથી, પૂરવઠા ખેંચની કારણે કોમોડિટીના ઊંચા ભાવ તથા નાણાંકીય સ્થિતિમાં અપેક્ષા કરતા ઝડપી સખતાઈ જેવા પરિબળો વિકાસ દર માટે જોખમી જણાય રહ્યા છે.

વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૪.૧૦% સાથે એક વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. ફુગાવાને ડામવા વૈશ્વિક કેન્દ્રીય બેન્કો નાણાં નીતિને સખત બનાવી રહી છે અને રેપો રેટમાં વધારો કરી રહી છે. ભારતમાં સરકાર દ્વારા પૂરવઠા તરફી નીતિ તથા અર્થતંત્ર ફરી ખુલ્લુ થઈ જવાને કારણે આર્થિક વિકાસમાં ઘટાડો સીમિત બન્યો છે. આ ઉપરાંત કોમોડિટીના ભાવમાં તાજેતરના ઘટાડા આર્થિક વિકાસની ગતિને ટકાવી રાખવામાં મદદ કરશે જે ભારત માટે સાનુકૂળ સ્થિતિ છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સરકાર દ્વારા નીતિવિષયક સુધારા તથા જાહેર માળખાકીય ખર્ચમાં વધારો ખાનગી મૂડીખર્ચને ટેકો આપશે તેવી પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુસાફરોની બસ નર્મદા નદી ખાબકતા ૧૩ લોકોના મોત
Next articleમારા જવાનો પાસે એવા હથિયાર હશે જેના વિશે વિરોધી વિચારી પણ ન શકે : વડાપ્રધાન મોદી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.