Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન થકી સ્થાનિક શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન થકી સ્થાનિક શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

47
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૮.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૮૫૩.૦૭ સામે ૫૮૯૭૭.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૫૮૩.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૦.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫.૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૮૧૭.૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૫૭.૭૫ સામે ૧૭૫૮૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૫૫.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૫૧.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિના આંકડા જૂનની તુલનાએ અપેક્ષાથી સારા વૃદ્વિના આવતાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ  વધારો થવાના સંકેત અને ચાઈનાની નિકાસોમાં બે આંકમાં વૃદ્વિની પોઝિટીવ અસરે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં તેજી રહી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. આરબીઆઇ દ્વારા મોંઘવારી અને જીડીપીનું સકારાત્મક અનુમાન આપતા અને ચોમાસાની સારી પ્રગતિએ ફુગાવો અંકુશમાં આવવાની અપેક્ષાએ વિદેશી ફંડોએ શેરોમાં સતત ઘટાડે ખરીદી છતાં વૈશ્વિક મોરચે ચાઈનાએ તાઈવાન પર મિસાઈલ હુમલો કર્યા સાથે જીઓપોલિટીકલ ટેન્શન હજુ યથાવત રહેતા દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

મેટલ, કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં લેવાલી સામે આઈટી, રિયલ્ટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સીડીજીએસ શેરોમાં ફંડોની ભારે વેચવાલી નોંધાતા બીએસઇ સેન્સેક્સ ૩૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૪૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૨.૪૪ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, રિયલ્ટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સીડીજીએસ, ટેલિકોમ, એફએમસીજી, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૭ અને વધનારની સંખ્યા ૧૫૩૬ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વ્યાજદરમાં વધારાની સાર્વત્રિક નીતિને કારણે એકતરફી ઘટાડો જોઈ રહેલ ભારતીય શેરબજારમાં જુલાઈ માસમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અટકતા અંતે શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે પરંતુ માર્કેટના પરોક્ષ રોકાણ માધ્યમ મ્યુચ્યુઅલ ફંડમાં નાના રોકાણકારોનું ધ્યાન વધુ આકર્ષિત થયું નથી. જુલાઇ માસમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.૮૮૯૮ કરોડનું રોકાણ આવ્યું છે, જે અગાઉના મહિનાની સરખામણીમાં ૪૩%નો તીવ્ર ઘટાડો દર્શાવે છે. જોકે ઇક્વિટી સ્કીમમાં પોઝીટિવ ઈન્ફ્લોનો આ સતત ૧૭મો મહિનો હતો.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ જુલાઇનો ઈન્ફ્લો જૂનમાં જોવા મળે રૂ.૧૫,૪૯૫ કરોડ, મે માસ ના રૂ.૧૮,૫૨૯ કરોડ અને એપ્રિલ માસના રૂ.૧૫,૮૯૦ કરોડના ઈન્ફ્લોની સરખામણીમાં ઓછો હતો. બજારના ઉતાર – ચઢાવ વચ્ચે માર્ચ ૨૦૨૧થી ઇક્વિટી સ્કીમ્સમાં નેટ ઈન્ફલો જોવા મળી રહ્યો છે. આ અગાઉ ઈક્વિટી સ્કીમમાં જુલાઈ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીના આઠ મહિનામાં સતત આઉટફ્લો જોવા મળ્યો હતો જેમાં રોકાણકારોએ રૂ.૪૬,૭૯૧ કરોડ રૂપિયા પરત ખેંચ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટુ વ્હીલર ચાલકે કેવા પ્રકારનું હેલ્મેટ પહેરવું જાેઈએ જેથી દંડ ન થાય
Next articleનીતિશકુમાર સીએમ અને તેજસ્વી યાદવ ડે.સીએમના શપથ લીધા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.