Home વ્યાપાર જગત વિદેશી રોકાણકારોની સતત નફારૂપી વેચવાલી અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજાર...

વિદેશી રોકાણકારોની સતત નફારૂપી વેચવાલી અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજાર બાવન સપ્તાહની નીચી સપાટીએ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૪૯૫.૭૯ સામે ૫૧૧૮૧.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૯૨૧.૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૧.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૫.૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૩૬૦.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૪૮.૫૫ સામે ૧૫૩૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૨૧૧.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૩૪૮.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૯૪ બાદ પ્રથમ વખત ૦.૭૫%નો તીવ્ર વ્યાજદર વધારો જાહેર કરતાં અને અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણને પગલે સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ આજે બાવન સપ્તાહની નીચી સપાટી નોંધાવી હતી. હેવીવેઇટ શેરો સહિત સ્મોલ – મિડકેપ ક્ષેત્રના પણ અનેક શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા. ફેડરલ રિઝર્વ દ્વારા તીવ્ર વ્યાજદર વધારાની બીજી તરફ સ્વીસ નેશનલ બેંકે પણ ૧૫ વર્ષ પછી વ્યાજદર વધાર્યાના અહેવાલો તેમજ બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આગામી સમયમાં વ્યાજદરમાં વધારો કરવાની ગણતરીના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી.

વિશ્વભરમાં મોંઘવારી વધતા વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દર વધારાના કારણે ધિરાણ મોંઘુ થવા સાથે ડિફોલ્ટના કેસમાં વધારો થવાની ભીતિ ઉદ્ભવવા સાથે વૈશ્વિક મંદીનો ભય પ્રબળ બની રહ્યો છે. વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે વેચવાલી નીકળવાની બીજી તરફ ઓપરેટરો, ફંડો, રોકાણકારો દ્વારા પણ વેચવાલી હાથ ધરાતા ચોમેરથી આવેલ વેચવાલીના પ્રબળ દબાણે બીએસઇ સેન્સેક્સ ૧૩૫ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૦.૨૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૪૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૩૬.૭૯ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૨ અને વધનારની સંખ્યા ૧૦૭૬ રહી હતી, ૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં વોલેટાલિટીભર્યા માહોલ વચ્ચે પણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ચાલુ ૨૦૨૨ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી શેરોમાં રૂ. ૨ લાખ કરોડનું વિક્રમી રોકાણ કર્યું છે જેના પગલે બજારને ટેકો સાંપડયો છે. વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ વિદેશી રોકાણકારોની એકધારી વેચાવાલીના કારણે બજારનું મોરલ ખરડાયું છે. ચાલુ જૂન માસમાં અત્યાર સુધીમાં રૂ.૧૪૦૦૦ કરોડની વેચવાલી હાથ ધરી છે. ગયા મહિને રૂ.૫૪૨૯૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં તેઓએ રૂ.૧.૫ લાખ કરોડથી પણ વધુની વેચવાલી હાથ ધરી છે. બીજી તરફ પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા શેરોમાં સતત નવી લેવાલી હાથ ધરાઈ રહી છે. જેના કારણે બજારને ટેકો મળતા તે વધુ તુટતા અટક્યું છે.

ઉપલબ્ધ ડેટા મુજબ સ્થાનિક સંસ્થાઓ દ્વારા છેલ્લા સતત ૧૬ માસથી નવી લેવાલી હાથ ધરાઈ છે. ગત મે માસમાં તેઓએ રૂ.૫૦૦૦૦ કરોડથી પણ વધુ મુલ્યના શેરો ખરીદ્યા હતા. આમ, સતત નવી લેવાલીના પગલે ૨૦૨૨માં અત્યાર સુધીમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા ભારતીય શેરબજારમાં રૂ.૨,૦૦,૦૨૪.૧૬ કરોડનું વિક્રમી રોકાણ કરવામાં આવ્યું છે. જે અગાઉના વર્ષો કરતા સર્વાધિક રોકાણ છે. વોલેટાલિટી વચ્ચે પણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા ભારતીય શેરબજારમાં થઈ રહેલા સતત રોકાણના કારણે બજારને ટેકો મળવા સાથે તેની નરમાઈ પર પણ બ્રેક લાગી છે. જો સ્થાનિક સંસ્થાઓ સક્રિય ના હોત તો બજારમાં ભારે ઘટાડો નોંધાયો હોત, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં વધારો અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ૧૦૪૫ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Next articleવડાપ્રધાન મોદી આજે ૨૧ હજાર કરોડની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન, શિલાન્યાસ કરશે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.