ગાંધીનગર જિલ્લામાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો આરંભ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા: પાત્રતા ધરાવતા તમામ લાભાર્થી સુધી યોજનાકીય લાભ પહોંચાડવાનો સંકલ્પ
(જી.એન.એસ),તા.૨૯
ભારત સરકારશ્રી દ્વારા છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ગાંધીનગર જિલ્લામાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ નો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે. આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દભાઈ મોદીના સંવાદનો કાર્યક્રમ તા. ૩૦/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં નક્કી કરાયેલ ગામોમાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન સવારે ૧૧ વાગ્યે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ સંવાદનું જીવંત પ્રસારણ https://pmindiawebcast.nic.in પર નિહાળી શકાશે.
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના તમામ ગામને યાત્રામાં આવરી લેવામાં આવશે ગાંધીનગર જિલ્લામાં ચારેય તાલુકાના ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ફરશે. યાત્રા દરમિયાન જે ગામમાં રથ પહોંચશે ત્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં પ્રધાનમંત્રીનો સંદેશ, વિકાસ ફિલ્મનું નિદર્શન, લાભાર્થીના મુખે યોજનાકીય લાભોની સાફલ્યગાથા મેરી કહાની, મેરી જુબાની સ્વરૂપે પ્રસ્તુત થશે. આ પ્રસંગે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભો અપાશે. આરોગ્ય કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ, મહિલા લાભાર્થી સન્માન જેવા કાર્યક્રમો પણ યોજાશે. ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.