Home વ્યાપાર જગત વધતાં ફુગાવા અને મોંઘવારી વચ્ચે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!

વધતાં ફુગાવા અને મોંઘવારી વચ્ચે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૨૦.૨૮ સામે ૫૪૭૬૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૨૦૫.૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૭૪.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૬.૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૩૦૩.૪૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૭૫.૪૫ સામે ૧૬૨૮૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૮૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૭.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૦૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધપાત્ર ઘટાડા સાથે થઈ હતી. સાઉદી અરેબિયાએ એશીયા માટેના ભાવ વધારતાં ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ૧૨૩ ડોલર થઈ જવા સાથે ફુગાવો – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ત્રસ્ત વિશ્વમાં હવે ફુગાવો તેની ટોચની સપાટી નજીક હોવાના અને મોંઘવારી હવે અટકીને ઘટવાના નિષ્ણાતોના અભિપ્રાય વચ્ચે વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવશે તેવા સંકેતે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઓઇલ એન્ડ ગેસ, આઇટી અને એનર્જી શેરો સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લિ. અને ઇન્ફોસિસમાં પ્રોફિટ બુકિંગ સાથે સેન્સેક્સમાં ૧૦૧૬ પોઈન્ટનો અને નિફ્ટી ફ્યુચરમાં ૨૬૭ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.

વિશ્વના અનેક દેશોમાં ફુગાવો વધવાની બીજી તરફ વ્યાજદરોમાં પણ વધારો થવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. રશિયા – યુક્રેન યુદ્ધના પગલે ઉદ્ભવેલ જીઓપોલિટિકલ ટેન્શનની બીજી તરફ મોંઘવારી વધવાની સાથે વ્યાજ દરો પણ વધતા નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા સમગ્ર વિશ્વ ફરી આર્થિક મંદીમાં ગરકાવ થઈ જવાની ભીતિ ઉદ્ભવતા આજે શેરોમાં ઉછાળે સાવચેતીમાં ફોરેન ફંડોએ તેજીનો વધુ વેપાર હળવો કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૧.૮૪ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૦૧ અને વધનારની સંખ્યા ૧૨૨૧ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં ૦.૫૦%ના વધારાની જાહેરાત સાથે ગ્રાહક ભાવાંક આધારિત મોંઘવારી સરેરાશ ૬.૭% રહેશે એવો અંદાજ પણ રજૂ કર્યો હતો. આ અંદાજમાં બીજા જ દિવસે ભારત સામે મોંઘવારીની લડતમાં મોટો પડકાર આવીને ઉભો છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૨૩ ડોલર પ્રતિ બેરલની ૧૩ વર્ષની ઊંચી સપાટીએ અત્યારે ચાલી રહ્યા છે. એટલે ઊંચા ક્રૂડના ભાવ ભારત માટે એક મોટો પડકાર છે. ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતના ૮૪% આયાત કરે છે.

રશિયા ઉપર વિવિધ દેશોએ પ્રતિબંધ મુક્યા પછી ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. ક્રૂડ મળી પણ રહ્યું છે પણ તે હજુ કુલ આયાતનો એક અંશ જ છે. બીજું, આયાત માટે ડોલર ચૂકવવા પડે. ભારતનો રૂપિયો વિવિધ કારણોસર ડોલર સામે વિક્રમી નીચી સપાટી ૭.૮૧ ઉપર ટ્રેડ થઈ રહ્યો. આ સ્થિતિમાં મોંઘવારી સામે લડતમાં ભારતમાં સ્થાનિક ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધે કે ગ્રાહકો ઊંચા ભાવ ચૂકવે એ બે જ વિકલ્પ છે. એવું ચોક્કસ લાગી રહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં મોંઘવારી માટે રિઝર્વ બેન્કે હજુ વ્યાજના દર વધારવા પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો જન્મદિવસ પણ ઘણી રસપ્રદ વાતો
Next articleભારતે પયગંબર પર ઇરાનના જુઠને પકડ્યુ , અજીત ડોભાલ સાથે મુલાકાત પર પોતાનું નિવેદન ડિલીટ કર્યુ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.