કોંગીફોબિયાથી પિડાતી ભાજપ સરકારને ખેડૂતોના દેવા માફ કરવામાં શરમ આવે છે…?
(જી.એન.એસ.) ગાંધીનગર, તા.20
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇકાલે વિધાનસભા ગૃહની બહાર ખેડૂતો માટે પોતે એકાદ-બે દિવસમાં મોટી જાહેરાત કરવાના છે એવી શેખી મારી ત્યારે ખેડૂતોને પણ એમ લાગ્યું કે ધારાસભ્યોની જેમ તેમના પણ “અચ્છે દિન” હવે દૂર નથી પરંતુ આજે તેમણે જે જાહેરાત કરી છે તેમાં ખેડૂતોના દેવા માફીની કોઇ વાતને બદલે જો કોઇ ખેડૂત અકસ્માતે મૃત્યુ પામે તો હવે વીમાની રકમ પેટે 1 લાખને બદલે 2 લાખ અને વળતરની રકમ એક કરતાં વધુ નોમિનીને મળશે એવી જાહેરાત કરીને ખોદ્યો ડૂંગર નિકળ્યો છછૂંદર જેવો ઘાટ થયો હોવાની લાગણી લાચાર અને ગરીબ તથા જેઓ ખરેખર બોજા હેઠળ દબાયેલા છે તેઓ અનુભવી રહ્યાં છે. સરકારની જાહેરાતનો એક મર્મ એવો થઇ રહ્યો છે કે તમારૂ દેવુ જીવતે જીવ માફ નહીં થાય પણ જો અકસ્માતે મરી ગયા તો વીમાની રકમ હવે ડબલ મળશે..! અને જો બચી ગયા, ઇજા થઇ તો 50 હજારને બદલે 1 લાખ મળશે. ભાજપ સરકારને જાણે કે લાખો ખેડૂતોના દેવા માફ કરવામાં શરમ આવતી હોય કે પછી વિપક્ષે માંગણી કરી છે તેથી ખેડૂતો ભલે દેવામાં ડૂબે પણ દેવુ માફ તો નહીં કરીએ એવી કોઇ કોંગીફોબિયાથી પિડાઇ રહી હોવાનું પણ કૃષિ નિષ્ણાતો માની રહ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.