Home ગુજરાત રાજ્યમાં કોરોનાનો કેર યથાવત: 24 કલાકમાં 879 કેસ,13નાં મોત

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત: 24 કલાકમાં 879 કેસ,13નાં મોત

263
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.12

રાજ્યમાં અનલોકનાં તબક્કામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 879 વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. અને 13 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 41906 પર પહોંચ્યો છે. અને મોતનો કુલ આંક 2047 અને ડિસ્ચાર્જનો કુલ આંક 29189 પર પહોંચ્યો છે.

આજે સુરત કોર્પોરેશન ૨૦૫, અમદાવાદ કોર્પોરેશન ૧૫૨, વડોદરા કોર્પોરેશન ૬૮, સુરત ૪૬, ભાવનગર કોર્પોરેશન ૩૧, જુનાગઢ ૨૯, મહેસાણા ૨૩, રાજકોટ ૨૩, રાજકોટ કોપોરેશન ૨૩, સુરેન્દ્રનગર ૨૧, અમદાવાદ ૨૦, મોરબી ૧૯, ગાંધીનગર ૧૮, અમરેલી ૧૬, ખેડા ૧૬, વલસાડ ૧૬, ભાવનગર ૧૫, ભરૂચ ૧૪, બનાસકાંઠા ૧૩, જુનાગઢ કોપોરેશન ૧૩, આણંદ ૧૧, ગાંધીનગર કોપોરેશન ૧૧, નવસારી ૧૧, પંચમહાલ ૧૦, દાહોદ ૯, કચ્છ ૭, વડોદરા ૭, ગીર સોમનાથ ૬, જામનગર કોપોરેશન ૬, બોટાદ ૫, પાટણ ૪, છોટા ઉદેપુર ૩, સાબરકાંઠા ૩, અરવલ્લી ૨, તાપી ૨, મહીસાગર ૧ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૦૬૬૧ છે, જેમાંથી ૬૭ દર્દીઓની હાલત નાજુક અને ૧૦૫૯૪ દર્દીઓની હાલત સ્થિર છે. આજ રોજ અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૩, જુનાગઢ ૨, સુરત ૨, ખેડા ૧, રાજકોટ કોર્પોરેશન ૧ દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકૉંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે યુવા નેતા હાર્દિક પટેલની નિયુક્તિ
Next articleપ્રેરણા જન ફાઉન્ડેશનના સહયોગથી નારોલમાં માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરાયું