Home ગુજરાત માણસાના પનોતા પુત્ર અને ગૃહમંત્રી અમિત શાહની તંદુરસ્તી માટે ભાજપે હોમ-હવન-યજ્ઞ કર્યા

માણસાના પનોતા પુત્ર અને ગૃહમંત્રી અમિત શાહની તંદુરસ્તી માટે ભાજપે હોમ-હવન-યજ્ઞ કર્યા

170
0

(જી.એન.એસ.)માણસા,તા.૪
દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહ કોરોનામાં સપડાતા તેમના મૂળ વતન માણસામાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. દેશના તમામ ધર્મ-કોમના લોકો તેઓ સત્વરે સાજા થાય અને કોરોનાને પરાસ્ત કરીને હેમખેમ ફરી દેશની સેવામાં યોગદાન આપે તે માટે ઠેર ઠેર પ્રાર્થના,દુવાઓ થઇ રહી છે.
માણસામાં પણ અમિતભાઇ શાહના ખાસ ટેકેદારો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીની આગેવાની હેઠળ બહુચર માતાજીના મંદિરે હોમ-હવન-યજ્ઞનું સફળતાપૂરેવક આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં માણસા શહેર અને તાલુકા-જિલ્લાના અનેક નાના મોટા કાર્યકરો તેમાં જોડાયા હતા અને અમિતભાઇ શાહ સત્વરે કોરોનાને હરાવી હેમખેમ હોસ્પિટલમાંથી બહાર આવીને રાષ્ટ્રની સેવામાં યોગદાન આપે તેવી દુવાઓ પણ થઇ રહી છે. માણસાના સૌ કોઇને ખાતરી છે કે માણસાના પનોતા પુત્ર સત્વરે દેશની સેવામાં જોડાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદહેગામ ધારાસભ્ય બલરાજસિંહ તથા પ્રાંતિજના ધારાસભ્યએ ભાજપના નવા પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી
Next articleપ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી ચીજવસ્તુ લઇ જાઓ’’* *પાયલોટ પ્રોજેક્ટનો મોરબી નગરપાલિકા ખાતેથી પ્રારંભ