(જી.એન.એસ)તા.૧૫
મહીસાગર,
સંતરામપુર નગરમાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ WhatsApp પર છૂટાછેડા આપી દીધા હતા. ફરિયાદ કરવા છતાં પણ મહિલાને ન્યાય મળ્યો નથી. આ ત્રાસથી કંટાળીને મહિલાએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. પોલીસ અધિક્ષકે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં રહેતી એક મુસ્લિમ મહિલાએ ન્યાય ન મળે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. આ મહિલાના લગ્ન નવ વર્ષ પહેલા સંતરામપુરમાં રહેતા જાવેદ મુસ્તાક કોઠારી સાથે થયા હતા. આ મહિલા લગ્ન બાદ તેના પતિ અને તેના પરિવાર સાથે રહેતી હતી પરંતુ સંતાન ન હોવાના કારણે તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાનું કહેવું છે કે તેની પાસે કોઈ આધાર નથી અને તેના પિતાની આર્થિક સ્થિતિ પણ સારી નથી, તેથી તે છેલ્લા નવ વર્ષથી તેના પતિ અને સાસરિયાઓના અત્યાચારો સહન કરી રહી છે. આટલું બધું હોવા છતાં એક દિવસ તેના પતિએ તેને WhatsApp પર મેસેજ કરીને છૂટાછેડા આપી દીધા. ન્યાયની આશાએ મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે તાત્કાલિક આરોપી જાવેદ મુસ્તાકને જામીન આપી દીધા હતા. પીડિતાનું કહેવું છે કે આ મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) અધિનિયમ 2019નું ઉલ્લંઘન છે, જેમાં આવી સ્થિતિમાં તાત્કાલિક જામીનની જોગવાઈ નથી. ન્યાય ન મળતા મહિલાએ રાષ્ટ્રપતિ, ગૃહ વિભાગ, રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત અરજી આપી ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. જ્યારે મહિસાગર જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સાથે આ બાબતે વાત કરવામાં આવી ત્યારે તેમણે કબૂલ્યું કે પોલીસની ભૂલ થઈ છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.