(જી.એન.એસ)ભોપાલ/ન્યુ દિલ્હી,તા.૩
હાલમાં જ ઈફસ્ અને ફફઁછ્ના મુદ્દે કોંગ્રેસ તરફથી વિવિધ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ વિવાદો પણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશની મતદાર યાદીમાં છેડછાડ હોવાનો આરોપ લગાવ્યો છે અને તેમાં ૬૦ લાખ ખોટા મતદાર હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ તરફથી આ અંગે મુખ્ય ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી છે. જેના માટે કોંગ્રેસ પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને પુરાવા પણ રજુ કર્યા હતા. રવિવારે મ.પ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા દિલ્હીમાં પત્રકારા પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, ૧૦૦ જેટલાં વિધાનસભાના ક્ષેત્રોમાં તપાસ કરાવવામાં આવી છે, જેમાં ૬૦ લાખ જેટલાં નકલી મતદારોની માહિતી હાથે લાગી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.