Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારત સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ એટલે કે 14 એપ્રિલના દિવસે દેશભરમાં...

ભારત સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ એટલે કે 14 એપ્રિલના દિવસે દેશભરમાં જાહેર રજાની જાહેરાત કરી

36
0

(જી.એન.એસ) તા. 29 

નવી દિલ્હી,

કેન્દ્ર સરકારે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર 14 એપ્રિલે જાહેર રજાની જાહેરાત કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સરકારના નિર્ણયની માહિતી આપી.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હવે આપણા પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, બંધારણના ઘડવૈયા, જેમણે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરી, તેમની જન્મજયંતિ પર જાહેર રજા રહેશે.” શેખાવતે કહ્યું, “આ નિર્ણય લઈને, બાબા સાહેબના સમર્પિત અનુયાયી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે.

આ બાબતે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા સરકારી આદેશમાં પુષ્ટિ આપવામાં આવી છે કે 14 એપ્રિલ, 2025ના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે ભારતભરના ઔદ્યોગિક મથકો સહિત કેન્દ્ર સરકારની કચેરીઓ બંધ રહેશે. આદેશમાં જણાવાયું છે કે ભારત સરકારના તમામ મંત્રાલયો અથવા વિભાગો આ નિર્ણયને બધાના ધ્યાન પર લાવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field