Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ તેજી તરફી...

ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૪૮૧.૮૪ સામે ૫૪૨૪૮.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૦૯૦.૫૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૭.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬.૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૩૯૫.૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૨૫.૨૦ સામે ૧૬૧૫૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૦૬.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૬.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૧૮૯.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વના બજારોમાં કોમોડિટીઝ ક્રુડ ઓઈલ, મેટલ્સ, કૃષિ ચીજોના ભાવોમાં તીવ્ર ઘટાડાએ ફુગાવો અંકુશમાં આવવા લાગતાં હવે સેન્ટ્રલ બેંકો દ્વારા વધુ વ્યાજ દરમાં વધારાની શકયતા ઘટતાં ગત સપ્તાહે વૈશ્વિક શેરબજારમાં અવિરત તેજી સાથે સ્થાનિકમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો, જો કે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તાજેતરના દિવસોમાં કડાકા બાદ ફરી ઉછાળો નોંધાતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

આજે ફંડોએ રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્કની આગેવાનીમાં પાવર, યુટિલિટીઝ, એનર્જી શેરોમાં નવેસરથી તેજી કરતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાંની આગેવાનીમાં વેલ્યુબાઈંગ કર્યા સાથે મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરો તેમજ પસંદગીના ઓટો શેરોમાં ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ અફડાતફડીના અંતે ૮૬ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૯૫ લાખ કરોડ વધીને રૂ.૨૫૧.૫૯ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઇટી, કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૮ અને વધનારની સંખ્યા ૨૦૯૬ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ધિરાણ દરમાં વધારો ઉપરાંત થાપણની સરખામણીએ ધિરાણ ઉપાડમાં વધુ વૃદ્ધિ તથા નીચા ધિરાણ ખર્ચને  ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક એટલે કે જુન ત્રિમાસિક ગાળામાં બેન્કોની નેટ ઈન્ટરેસ્ટ  ઈન્કમ તથા નફામાં વાર્ષિક  ધોરણે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ૧૨ લિસ્ટેડ બેન્કોના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૪૭% વધારો થવાની એક રિસર્ચ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઉપરાઉપરી બે વખત વધારાની સાથે બેન્કોએ પણ લોન્સના દરમાં વધારો શરૂ કર્યો છે. કોરોનાને લગતી મંદી બાદ દેશમાં આર્થિક રિકવરી શરૂ થવા સાથે ધિરાણ ઉપાડમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે જ્યારે તેની સામે બેન્કોમાં થાપણમાં વૃદ્ધિ મંદ રહી છે, જેને કારણે વ્યાજ મારફતની નેટ આવકને ટેકો મળ્યો છે.

વ્યાજ મારફતની નેટ આવક વિતેલા ત્રિમાસિક ગાળામાં ૧૧.૬૦% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ૧૭ જુનના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં થાપણ વૃદ્ધિનો આંક ૮.૩૦% રહ્યો હતો જ્યારે ધિરાણમાં ૧૩.૨૦%ની વૃદ્ધિ જોવા મળી છે. જે ૪.૯૦%નો તફાવત દર્શાવે છે. આ ઉપરાંત નોન પરફોર્મિંગ એસેટસનું સ્તર પણ ઘણું નીચું રહેતા બેન્કોએ જોગવાઈ પણ નીચી કરવી પડી રહી છે, જેને પરિણામે નફાશક્તિ ઊંચી જોવા મળી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જૂન અંતની કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝન આ વખતે મિશ્ર રહેવાની શકયતા જોતાં બજારમાં બે તરફી અફડાતફડી સાથે સ્ટોક સ્પેસિફિક ચાલ જોવાય એવી શકયતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિરાટ કોહલીને કંગાળ ફોર્મ સામે સુનીલ ગાવસ્કરે સલાહ આપી
Next articleવડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ કર્યું
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.