(GNS),12
ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે વહેલી સવારે નાદુરસ્ત તબિયતના કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાંજે ચાર વાગ્યે એન્જોગ્રાફી કરવામાં આવશે. પરંતુ છેલ્લે મળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત હાલ સુધારા પર છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાજપના સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આજે સાંજે બાયપાસ સર્જરી (એન્જોગ્રાફી ) કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. જો કે તેમની જીત બાદ વિવાદ પણ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.