Home ગુજરાત ભરૂચના આંગણે આવતીકાલે રૂડો અવસરઃ 24 અગ્રણીઓનું “ભરૂચ રત્ન”થી સન્માન કરાશે

ભરૂચના આંગણે આવતીકાલે રૂડો અવસરઃ 24 અગ્રણીઓનું “ભરૂચ રત્ન”થી સન્માન કરાશે

327
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
જાણીતી સેવાભાવી સંસ્થા સહારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને દેશની જાણીતી મલ્ટી લેંગ્વેજ વાયર ન્યૂઝ એજન્સી જી.એન.એસ.(GNS) દ્વારા ભરુચ જિલ્લાના ગૌરવવંતા નાગરિકોને જિલ્લાનું વિશેષ સન્માન આપવામાં આવશે જેને “ભરુચ રત્ન” એવું નામ આપવામાં આવ્યું છે જેમાં વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા નાગરિકોને આ સન્માનથી નવાજવામાં આવશે. જેમાં કુલ ૨૪ નાગરિકો નું સન્માન થશે. જેમાં સૌથી નાની વયની દિકરી ખુશી ચુડાસમાથી લઈને 80 વર્ષના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ગાંધી નો સમાવેશ થાય છે,
ભરૂચના સિનિયર પત્રકાર વસીમ મલેક દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ આફ્રિકાથી વિશેષ મેહમાન તરીકે હોલિવૂડની સોહામણી અભિનેત્રી અને મોડેલ મેરી લુઈસ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. જેમને મિસ્ટર વર્લ્ડ અસ્ફાક બેંડવાલા ઍવોર્ડથી સન્માનિત કરીને પુરસ્કાર સુપરદ કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રે આ સન્માન લેનાર ગૌરવવંતા નાગરિકો નીચે મુજબ છે
ભરુચ રત્ન મેળવનાર ગૌરવવંતા ભરૂચવાસીઓ
રમત ગમત
૧. મુનાફ પટેલ ( ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમ )
૨. અસ્ફાક બેંડવાલા ( સાઉથ આફ્રિકામાં રહીને મિસ્ટર વર્લ્ડ બન્યા હાલ હોલિવૂડ કલાકાર અને મોડલ )
૩.ખુશી ચુડાસમા ( નાની ઉમરમાં રાઇફલ શૂટિંગમાં નેશનલ ક્વોલિફાઇ કર્યું )
સામાજિક કાર્ય
૧.રશ્મિ કંસારા ( બ્લડ ડોનેશન નું ઉમદા કાર્ય છેલ્લા ૨૦ વર્ષ થી )
૨.અતુલ મુલાણી ( ભૂખ્યા ને ભોજન નામથી સંસ્થા ચલાવી દરરોજ ૩૦૦ થી વધુ ગરીબો ને ખાવાનું આપે છે )
૩.દિક્ષા વાનિયા ( રસ્તાઓ પર નીકળી ને ગરીબોને નાસ્તો ,ખાવાનું ,કંબલ વિતાન વગેરે )
૪.મહમ્મદ ફાંસીવાલા “મરણોપરાંત “ ( આરોગ્ય ક્ષેત્રે ઉમદા કાર્ય )
૫.ફેસલ પટેલ ( એચએમપી ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવી ગરીબો ની સેવા )
૬..રાકેશ ભટ્ટ (સેવા યજ્ઞ સમિતિ દ્વારા લોકસેવા )
ભારતીય સેના
૧. શહીદ યુસુફ ખીલજી “મરણોપરાંત “ ( વર્ષ ૨૦૦૪ માં કારગિલ યુધ્ધ માં શહીદ )
ઉદ્યોગ ક્ષેત્રે
૧.અશોક પંજવાની ( પર્યાવરણ બાબતે સારું કાર્ય અને દરરોજ ૧૫૦૦૦ જેટલા કર્મચારીઓ ને મફત ભોજન )
૨.ડી આનંદપુરા ( અંકલેશ્વર ઓદ્યોગીક વિસ્તાર માં સિંહફાળો )
3.એમ એસ જોલી (ઉદ્યોગ અને ફિલ્મ ક્ષેત્રે )
રાજનીતિ અને લોકસેવા
૧. એહમદ પટેલ ( રાજનીતિ ક્ષેત્રે ભારતભર માં ભરુચનું નામ રોશન કર્યું
૨.મનસુખ વસાવા (સતત ૬ વાર લોકસભા સાંસદ બન્યા )
૩.છોટુભાઈ વસાવા ( આદિવાસી સમાજ ના નેતા સતત ધારાસભ્ય બન્યા )
અભ્યાસ ક્ષેત્રે
૧. ડો સુનિલ ભટ્ટ ( નરેન્દ્ર મોદી પર પીએચડી કરનાર પેહલા ભારતીય )
૨.ડો.ખુશ્બુ પંડયા (શોશ્યલ મીડિયા પર પીએચડી કરનાર પેહલા ભારતીય )
૩.ડો. અશ્વિન કાપડિયા ( ભરૂચના પેહલા વ્યક્તિ જેઓ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર રહ્યા )
આરોગ્ય ક્ષેત્રે
૧.ડો સુકેતુ દવે ( છેલ્લા ૨૦ વર્ષ થી મનમેળાપ કરીને સેવા આપનાર )
ફિલ્મ અને કલાજગત ક્ષેત્રે
૧.ડો તરુણ બેન્કર ( ભરુચ માં રહીને ઘણી ફિલ્મો માં કામ કર્યું અને એજ વિષય પર પીએચડી કર્યું હાલ નિર્માતા દિગ્દર્શક છે )
૨. ઇમરાન બાદશાહ (સીદી નું આફ્રિકા ધમાલ નૃત્ય ને દુનિયા ના વિવિધ દેશો માં પ્રદર્શન કર્યું )
પત્રકારત્વક્ષેત્રે
૧.મહેન્દ્ર ભાઈ ગાંધી (યુવાની થી જૈફ વાય ની વયે પણ પત્રકારત્વ ,ગાંધીવાદી વિચારધારા સાથે )

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆવી દેશવિરોધી માનસિક્તા….? માહિતી ખાતાએ દેશના 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસનો એકડો જ કાઢી નાંખ્યો…!
Next articleઅધિકારીઓના નામે રૂપાણી સામે હવે મનસુખ વસાવાએ તલવાર ખેંચી….!!