Home વ્યાપાર જગત ફુગાવાની ચિંતા અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ...

ફુગાવાની ચિંતા અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૪૬.૭૦ સામે ૫૨૪૯૫.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૫૯.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૫.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૩.૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૬૯૩.૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૬૬.૨૫ સામે ૧૫૭૧૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૪૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વમાં મોંઘવારી વધતા વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાના પગલા ભરાતા આગામી સમયમાં ધિરાણ મોંઘુ થવાની બીજી તરફ ડિફોલ્ટના કિસ્સામાં તેમજ બેંકોની એનપીએ વધવાની ભીતિ સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. ઊંચા ફુગાવોના પગલે ભારતમાં રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો થયા બાદ અમેરિકામાં પણ ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચતા ફેડરલ દ્વારા પણ આગામી સમયમાં વ્યાજ દરમાં વધારો કરાશે તેમજ યુરોપીયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દર વધારાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલોની પ્રતિકૂળ અસર થતાં બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વિદેશી રોકાણકારોની ચોમેરથી આવેલ સતત વેચવાલીના ભારે દબાણે શેરોમાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વને ભરડામાં લઈ લેનાર ફુગાવો – મોંઘવારીના પરિણામે આર્થિક અને રાજકીય મોરચે તનાવની પરિસ્થિતિને લઈ સેન્ટીમેન્ટ વધુ ડહોળાવા લાગ્યા સાથે ધિરાણ મોંઘુ થઈ રહ્યું હોઈ ફરી કોર્પોરેટ અને રીટેલ લોનમાં ડિફોલ્ટરોનું જોખમ વધતાં બેંકો, ફાઈનાન્સ કંપનીઓની એનપીએમાં ફરી જંગી વધારાના ભયે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૫૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૪.૬૦ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સામાન્ય વધઘટ સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૨ અને વધનારની સંખ્યા ૧૫૩૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, મોંઘવારી અને આર્થિક મંદીના ભણકારાની અસર હવે બચત પર પણ થઇ રહી છે અને તેની અસરે મે મહિનામાં નવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)ના નવા ફોલિયોના સંખ્યા ઘટી છે. મે મહિનામા માત્ર ૧૯.૭ લાખ નવા સિપ ફોલિયો ખુલ્યા છે, જે છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછા છે. ઉપરાંત મે મહિનામાં ૧૦.૩ લાખ સિપ ફોલિયો બંધ થયા છે. જો કે તે છેલ્લા ચાર મહિનામાં સૌથી ઓછી સંખ્યા છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા મુજબ છેલ્લા પાંચ મહિનાના ૨૩ લાખની તુલનાએ મે મહિનામાં અંદાજીત ૧૫% ઓછા નવા સિપ એકાઉન્ટ ખુલ્યા છે. જૂન ૨૦૨૧થી નવા સિપ ફોલિયોની નોંધણી દર મહિને ૨૦ લાખથી વધારે હતી.

અલબત્ત સપ્ટેમ્બર ૨૦૨૧થી સિપ મારફતે મૂડીપ્રવાહ સતત વધી રહ્યો છે. મે મહિનામાં સિપમાં રૂ. ૧૨,૨૮૬ કરોડનું રોકાણ આવ્યુ છે જે એપ્રિલમાં રૂ.૧૧,૮૬૩ કરોડ હતુ. નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ આવ્યુ હતુ જ્યારે તેની અગાઉના નાણાંકીય વર્ષે આ આંકડો રૂ. ૯૬,૦૮૦ કરોડ હતો. નવા ફોલિયોની સંખ્યામાં ઘટાડો રોકાણકારોની સાવચેતી અને શેરબજારમાં આવેલા ઘટાડાથી ખરડાયેલુ સેન્ટિમેન્ટ છે. વધતી મોંઘવારી, યુક્રેન- રશિયા યુદ્ધ, વ્યાજદદરોમાં વૃદ્ધિની ચિંતાઓના લીધે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક સ્તરે ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બનતા ભારતીય શેરબજારમાં ૧૪૫૬ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Next articleકોરોના ગયો નથી, બાળકોની વેક્સિન પર વધુ ધ્યાન આપો : આરોગ્યમંત્રી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.