Home ગુજરાત પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનની ધજીયા ઉડાડતુ ગઢડા નગરપાલીકા તંત્ર

પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનની ધજીયા ઉડાડતુ ગઢડા નગરપાલીકા તંત્ર

650
0

(જી.એન.એસ બોટાદ) તા.29

ગઢડા શહેરમાં બી.એ.પી.એસ.સ્વામિનારાયણ રોડના પવિત્ર ઘેલા નદીના તટ પર જાણે કે કચરાનો મેળાવડો જામ્યો હોય તેમ લાગી રહ્યુ છે.આ જગ્યાએ નગરપાલીકા દ્વારા “અહિ કચરો ન ફેકવો જો કચરો ફેકવામાં આવશે તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે” આ પ્રકારનુ એક બોર્ડ પણ લગાવેલ છે. શુ આ શોભાના ગાઠીયા જેવુ બોર્ડ માત્ર કચરો ફેકનારને ડરાવવામાટે જ લગાવવામાં આવ્યુ છે કે તેના પર તંત્ર અમલવારી પણ કરશે ? સ્વચ્છ અભિયાનની મોટી મોટી વાતો કરતુ ગઢડા નગરપાલીકા તંત્ર આ એક તસ્વિર જોતા તંત્રની સ્વચ્છ ભારત અભિયાનની પોલ ખુલી ગઇ છે. શુ નેતા કે અધિકારીઓને માત્ર સ્વચ્છ ભારત અભિયાન ના નામ પર સફાઇ કરતાનો ફોટો પાડી સોસીયલ મડીયામાં વાહ વાહ કરવામાં જ રસ છે ? આજે સરકાર સ્વચ્છ ભારત અભિયાન કે શૌચાલય મુક્ત ભારત જેવા અભિયાનો પાછળ તોતિંગ ખર્ચાઓ કરે છે. શુ ગઢડા નગરપાલીકા તંત્ર દ્વારા આ અભિયાન પાછળ ખર્ચા ખરેખર કરે છે કે માત્ર કાગળ પર જ બતાવે છે? એ જોવાનુ રહ્યુ. હાલ ચોમાસાની પણ ઋતુ ચાલુ હોય વરસાદનો માહોલ હોય તેથી કચરાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય જે અન્વયે ગઢડા નગરપાલીકા દ્વારા વહેલી તકે આ કચરાનો નિકાલ કરવામાં આવે અને ફરી અહિ કચરાનો મેળવડો ન જામે અને નગરપાલીકા તંત્ર દ્વારા લગાવેલ બોર્ડની શરતોની પુણૅ અમલવારી થાય તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field