Home ગુજરાત પાલડી રાઠોડ શાળાના શિક્ષક અનિલભાઇ પ્રજાપતિની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પસંદગી

પાલડી રાઠોડ શાળાના શિક્ષક અનિલભાઇ પ્રજાપતિની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પસંદગી

297
0

(જી.એન.એસ,ધવલ દરજી)માણસા,તા.૬
ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને ભણાવવાનું જ નહિ પરંતુ વિદ્યાર્થીઓના જીવનને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે માણસા તાલુકાના પાલડી રાઠોડ પ્રાથમિક શાળાના શિક્ષક અનિલભાઇ કાંતિલાલ પ્રજાપતિની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પસંદગી કરાઇ હતી. ત્યારે તેમને જિલ્લાના મેયર રિટાબેન પટેલના હસ્તે રૂપિયા ૧૫ હજારનો ચેક, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનિલભાઇ પ્રજાપતિએ શાળાનું જ નહિ પરંતુ માણસા તાલુકા અને તેમના સમાજનું પણ નામ રોશન કર્યું છે. અનિલભાઇની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોમાં પસંદગી થવી એ ખરેખર માણસા તાલુકા અને પાલડી રાઠોડ પ્રાથમિક શાળા માટે ગૌરવની વાત હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમૌ શાળાના શિક્ષિકા અસ્મીતાબેન ગોસ્વામીની પસંદગીઃ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
Next articleપારસા શાળાના આચાર્ય પ્રવિણભાઇ પટેલને રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરાયા