Home મનોરંજન - Entertainment પદ્માવતી મુદ્દે કરણી સેનાની ધમકી:અમે તો હિંસક દેખાવો કરશું જ

પદ્માવતી મુદ્દે કરણી સેનાની ધમકી:અમે તો હિંસક દેખાવો કરશું જ

655
0

(જી.એન.એસ.)મુંબઇ .તાં.૧
ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતીને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડેે શરતી સર્ટિફિકેટ આપ્યાના થોડાજ કલાકોમાં પોતાને રજપૂત સમાજની પ્રતિનિધિ સંસ્થા ગણાવતી કરણી સેનાએ એવો આક્ષેપ કર્યો હતો કે સેન્સર બોર્ડે ઇન્ટરનેશનલ ડૉન દાઉદ ઇબ્રાહિમના દબાણથી પદ્માવતીને પાસ કરી હતી. અમે ફિલ્મ રજૂ થાય ત્યારે હિંસક દેખાવો કરીને અમારો વિરોદ પ્રગટ કરીશું. સેન્સર બોર્ડે પાંચેક સૂચનો ઉપરાંત ફિલ્મનું ટાઇટલ પદ્માવતીને બદલે પદ્માવત કરવાની શરત સાથે ફિલ્મને યુ/એ સર્ટિફિકેટ આપ્યું હતું. એની સામે કરણી સેનાએ ફરી લાલ આંખ કરી હતી. કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંઘ ગોગામેડીેએ એવી ધમકી આપી હતી કે પદ્માવતી જ્યાં જ્યાં રજૂ થશે એ તમામ થિયેટરો પર અમે હુમલા કરીશું. માલમિલકત કે વ્યક્તિઓનો જાન જોખમમાં મૂકાય એની જવાબદારી અમારી નહીં રહે.’સેન્સર બોર્ડે દાઉદ ઇબ્રાહિમના દબાણ હેઠળ આ ફિલ્મને પાસ કરી છે અને હિન્દુત્વ પર ગંભીર પ્રહાર કરવાની ભૂલ કરી છે. અમે એ નહીં ચલાવી લઇએ’ એમ સુખદેવ સિંઘે વધુમાં કહ્યું હતું. અત્યાર અગાઉ ફિલ્મના બંને હીરો રણવીર સિંઘ અને શાહિદ કપૂર એક કરતાં વધુ વખત કહી ચૂક્યા છે કે ફિલ્મ જોયા પછી જે વિરોધ કરવો હોય તે કરજો. બે રાજ્યોની હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો પરંતુ કરણી સેના આ બાબતે નમતું જોખવા તૈયાર નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્રિકેટર ચેતેશ્વર પુજારા બનશે પિતા,નવા વર્ષે આપી ફેન્સને ખુશખબરી
Next articleઓસામા બિન લાદેનના 12 વર્ષના પૌત્રની હત્યા, પત્રમાં થયો ખુલાસો