Home ગુજરાત પત્નીને કહ્યું:’તલવાર વડે મારી નાખીશ’, રાજકોટની જાણીતી રેસ્ટોરાંના સંચાલક ૨ વિરૂદ્ધ FIR

પત્નીને કહ્યું:’તલવાર વડે મારી નાખીશ’, રાજકોટની જાણીતી રેસ્ટોરાંના સંચાલક ૨ વિરૂદ્ધ FIR

34
0

રાજકોટના ‘સન્ની પાજી દા ઢાબા’ આ નામ સાથે બોલિવૂડ અભિનેતાને નહાવા કે નિચોડવાનો પણ સંબંધ નથી. રાજકોટની જાણીતી રેસ્ટોરાં ‘સન્ની પાજી દા ઢાબા’નો માલિક પત્ની પરના અત્યાચારોના કારણે ચર્ચામાં છે. અમનવીરસિંઘ ઉર્ફે સન્નીપાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુધ્ધ પરિણીતાએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં પતિ સન્નીપાજી નશાની હાલતમાં તેની પત્નીને માર મારી રિવોલ્વર તેમજ તલવાર વડે મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ મહિલા પોલીસે નોંધી છે. પોલીસે સન્નીપાજી અને તેના પિતા વિરુધ્ધ આઇપીસી કલમ 498(ક), 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field