Home ગુજરાત નવસારીમાં બિલ્ડિંગના પાંચમે માળે આગ લાગી, ફાયર ફાઇટરો સમયસર પહોંચતા મોટી દુર્ઘટના...

નવસારીમાં બિલ્ડિંગના પાંચમે માળે આગ લાગી, ફાયર ફાઇટરો સમયસર પહોંચતા મોટી દુર્ઘટના ટળી

34
0

નવસારી શહેરના સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એક નામની બહુમાળી બિલ્ડીંગમાં પાંચમાં માળે રહેતા અશ્વિન માધવાણી નામના વ્યક્તિના ઘરે સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેની જાણ નવસારી ફાયરને જાણ થતા તાત્કાલિક ચાર ગાડી દોડાવીને એક કલાકની જહેમત બાદ આંગ પર કાબુ મેળવ્યો હતો.

આગ માં આશરે 10થી વધુ લાખના નુકસાન નો અંદાજ ઘર માલિકે લગાવ્યો છે. ફાયર વિભાગએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક એપાર્ટમેન્ટ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો જેને કારણે જાનહાનિ કે મોટી દુર્ઘટના ટળી હતી ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ હતી,આગ લાગતાં બિલ્ડિંગમાં આફરાતફરી મચી ગઈ હતી જો કે 1 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field