Home ગુજરાત નવલખી બંદર સહિત ગુજરાતના 22 બંદરોનો વિકાસ કરવામાં આવશે: કે.મંત્રી મનસુખ માંડવીયા

નવલખી બંદર સહિત ગુજરાતના 22 બંદરોનો વિકાસ કરવામાં આવશે: કે.મંત્રી મનસુખ માંડવીયા

722
0

(જી.એન.એસ.-કાર્તિક જાની)
દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેવાની સંભાવના હોવાથી આગામી દિવસોમાં યુરિયાની માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તૈયાર છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, હાલમાં 2 લાખ મેટ્રીક ટન જેટલો યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. જેના લીધે આગામી સમયમાં યુરિયા ખાતરની કોઇ તંગી સર્જાશે નહી. દેશમાં યુરિયા ખાતરની 30 જેટલી સરકારી અને ખાનગી ફેકટ્રી આવેલી છે. જેની સાથે આ વર્ષે જુન, જુલાઇ અને ઓગસ્ટમાં ખેડુતોને ખાતર મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા 5 વર્ષમાં ખાતરની વ્યવસ્થા સુધરી છે.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણો એક માત્ર એવો દેશ છે જેના નામ પરથી સાગરનું હિન્દ મહાસાગર નામ પડ્યું હોય દેશમાં 204 બંદરો આવેલા છે. જેનો પીપીપી ધોરણે વિકાસ કરવામાં આવશે. જેના દ્વારા દેશમાં જળ પરિવહનને પણ વેગ આપવામાં આવશે. આ સાથે શિપ બ્રેકિંગ અને શિપ રિપેરિંગને રિડેવલોપ કરીને રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સમુદ્ર ફેરરમાં 92000 હજાર લોકો કામ કરતા હતા. જેમા હવે 2 લાખ 14 લોકો કામ કરતા થયા છે. આ સાથે દેશમાં 1400 કિમીનો જળપરિવહનની યોજનાનું આપણ આયોજન કરવામાં આવ્યું છે.
સાથે સાથે સિરામીક ઉદ્યોગ માટે મોરબી નજીક આવેલ નવલખી બંદરનો પણ વિકાસ કરવામાં આવશે. દેશમાં 204 બંદરોમાથી ગુજરાતમાં 22 બંદરોનો વિકાસ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકારણ નો નવો અભ્યાસક્રમ, કોંગ્રેસ પક્ષને સમજાતો જ નથી
Next articleરૂપાણી રાજમાં બેેરોજગારીનો રાફડો ફાટ્યો….?, 4 હજારની જગ્યા માટે 13 લાખ ફોર્મ ભરાયા…!