Home દેશ - NATIONAL તમામનું નહીં, માત્ર જરૂરિયાતમંદ ખેડૂતોનું દેવું માફ કરવું જોઇએ: NABARD

તમામનું નહીં, માત્ર જરૂરિયાતમંદ ખેડૂતોનું દેવું માફ કરવું જોઇએ: NABARD

358
0

જી.એન.એસ, તા.૧૨
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડે ખેડૂતોની લોન માફ કરવાની બાબતને નૈતિક સંકટ ગણાવી છે. નાબાર્ડનું કહેવું છે કે આવા પ્રકારની સુવિધાઓ માત્ર જરૂરિયાતમંદ લોકોને જ આપવી જોઈએ.
ઉત્તરપ્રદેશની સરકાર દ્વારા ખેડૂતોના 36000 કરોડ રૂપિયાની લોન માફીની ઘોષણા કરવામાં આવી છે. તેના એક સપ્તાહ બાદ નાબાર્ડના ચેરમેન હર્ષકુમાર ભાનવાલાએ કહ્યું છે કે દેવું પાછું આપવાની દ્રષ્ટિએ લોન માફી એક પ્રકારે નૈતિક સંકટ ઉભું કરે છે.
નાબાર્ડના ચેરમેન મુજબ વિભિન્ન ઉદેશ્ય માટે આવા પ્રકારની લોન માફી પેકેજ લાવી શકાય નહીં. હરિયાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં આવા પ્રકારની લોન માફીની માગણી પણ ઉઠી રહી છે. નાબાર્ડના ચેરમેન અનુસાર દરેક વખતે કોઈને કોઈ લોન માફી યોજના જાહેર કરી દેવામાં આવે છે. આ કરદાતાઓના નાણાં છે જેનો ખેડૂતોની લોન માફી માટે ઉપયોગ કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field