Home મનોરંજન - Entertainment ટીવી અભિનેત્રી રાખી વિજાન દયાબેન નહીં બને

ટીવી અભિનેત્રી રાખી વિજાન દયાબેન નહીં બને

36
0

(જી.એન.એસ),તા.૨૧
મુંબઈ
રાખી વિજાને અગાઉ રવિના ટંડનના ભાઈ રાજીવ ટંડન સાથે મેરેજ કર્યા હતા. રાજીવ સાથે ડાઈવોર્સના વર્ષો બાદ રાખીના જીવનમાં પ્રેમનું આગમન થયું છે. પૂણેના બિલ્ડર ફરીદ કરાચીવાલા સાથે આ ડિસેમ્બર મહિનામાં મેરેજ કરવાનો રાખીનો પ્લાન છે. રાખીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં દિશા વાકાણીના રીપ્લેસમેન્ટ માટે તેની પસંદગી થઈ નથી. હમ પાંચની જેમ આ સિરિયલ પણ ખૂબ પોપ્યુલર છે અને તેના કેટલાક એપિસોડ્સ રાખીએ જાેયાં છે. રાખીનું માનવું છે કે, દયાબેનના રોલમાં દિશા વાકાણીની જેમ ગુજરાતી લહેકાવાળું હિન્દી બોલવાનું અઘરું છે. આ રોલમાં ફિટ બેસવા માટે ટ્રેનિંગ લેવી પડે. દયાબેનનો રોલ રાખી ટંડન નહીં કરે તેવું નક્કી થયું છે, પરંતુ દયાબેનના કેરેક્ટરમાં નવી એન્ટ્રી નક્કી છે. દયાબેનના રિપ્લેસમેન્ટ સહિત આ શોમાં પાંચ મોટા ફેરફાર થવાના છે. જેઠાલાલની નવી દુકાન જાેવા મળશે. અગાઉ જે દુકાનમાં શૂટિંગ થતુ હતું તેની જગ્યાએ નવી દુકાન નજરે પડશે. નટુકાકાનો રોલ કરનારા ઘનશ્યામ નાયકનું કેન્સરની બીમારીમાં નિધન થયું છે. તેથી નટુકાકાના કેરેક્ટર માટે પણ નવા આર્ટિસ્ટની શોધ ચાલી રહી છે. અગાઉ તારક મેહતાનો રોલ કરનારા શૈલેષ લોઢાએ પણ વિદાય લીધી છે. તેથી આ શોમાં નવા એક્ટર્સ જાેવા મળશે અને શોને ઈન્ટ્રેસ્ટિંગ બનાવવા માટે નવા કેરેક્ટર્સ પણ લાવવાનો પ્લાન છે. એટલે કે ગોકુલ ધામ સોસાયટીના સભ્યોમાં વધારો થઈ શકે છે. ટીવી ચેનલની શરૂઆતના વર્ષોમાં હમ પાંચ સિરિયલ ખૂબ પોપ્યુલર થઈ હતી. આ શોમાં સ્વીટીનો રોલ કરનારી રાખી વિજાનને દયાબેનના રોલ માટે ફાઈનલ કરાશે તેવી અટકળો વહેતી થઈ હતી. રાખીએ આ અટકળોને રદિયો આપતાં જણાવ્યું હતું કે, તારક મેહતા કા ઊલ્ટા શોના મેકર્સ દ્વારા તેનો સંપર્ક કરાયો ન હતો. જેથી દયાબેનના રોલ માટે તેનું સિલેક્શન થયું હોવાની વાતો માત્ર અફવા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનર્જી અને ઓઈલ & ગેસ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૩૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next articleઅપને ૨ ફિલ્મ માટે શિલ્પા શેટ્ટી પાસે સમય નથી