(GNS),21
ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમની હાર બાદ અનેક વીડિયો પોસ્ટ, ફોટો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં એક સામાન્ય લોકો, કલાકારો, ક્રિકેટરો સહિત તમામ લોકોના વીડિયો સામે આવ્યા હતા. આવો જ એ વીડિયો કવિ સંમેલનનો વાયરલ થયો છે, જેમાં એક કવિ મેચમાં હાર બાદ સ્ટેજ પર કોમેડી કરી રહ્યા છે..
વીડિયોમાં જોવા મળતા કવિનું નામ દીપક સૈની છે અને તે રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈતના વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ શું કરશે તે અંગે જણાવી રહ્યા છે. આ કલાકારે જણાવ્યું હતું કે, રાકેશ ટિકૈતને મૈં પૂછ્યું કે ભારત વર્લ્ડ કપમાં હાર્યું હવે તમે શું કરશો? તેના પર રાકેશ ટિકૈત જવાબ આપે છે કે અમે આંદોલન કરીશું..
કવિ દીપક સૈનીએ આગળ રમુજ કરતાં જણાવ્યું કે, રાકેશ ટિકૈતજી ભારતની હર બાદ હવે આઈસીસીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરશે અને માંગ કરવામાં આવશે કે આ મેચ જે ભારત હાર્યું એ પાછી યોજવામાં આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.