Home દેશ - NATIONAL જુલાઇમાં ફરી બદલી શકાશે 500, 1000ની જૂની ચલણી નોટ

જુલાઇમાં ફરી બદલી શકાશે 500, 1000ની જૂની ચલણી નોટ

289
0

જી.એન.એસ, તા.૧૩
નોટબંધીના કારણે લોકો માટે સૌથી મોટી મુસીબત જૂની નોટ બદલાવવાની હતી. જ્યાં સુધી જૂની નોટ બદલવામાં આવતી હતી ત્યાં સુધી બેન્કની સામે લાંબી લાઇન, મોડી રાત સુધી ભીડ, સવાર પડતા જ બેન્ક સામે લોકોની ભીડ ઉમટી પડતી હતી.
નોટબંધીની આ પરિસ્થિતિમાં કેટલાક લોકો એવા પણ હતા, જે લાંબી લાઇનના કારણે બેન્ક સુધી ગયા પણ નથી. જે લોકો પાસે હજુ પણ 500 અને 1000 રૂપિયાની જૂની ચલણી નોટ છે તેઓને નોટ બદલવા માટેની તક આપવામાં આવશે.
જાણકારી અનુસાર, જુલાઇના છેલ્લા અઠવાડિયા સુધી સુપ્રીમ કોર્ટ આ મુદ્દામાં નિર્ણય આપી શકે છે. ત્યારબાદ લોકોને નોટ બદલવા માટેની તક મળી રહેશે.
સુપ્રીમ કોર્ટ જુલાઇમાં નક્કી કરશે કે જે લોકો કોઇ યોગ્ય કારણોસર જૂની નોટ બદલી શક્યા નથી તેમના માટે સરકારે નોટ બદલી આપવાની તક આપવી જોઇએ કે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે કે જો આવો કોઇ નિર્ણય કરવામાં આવશે તો તે તમામ લોકો માટે હશે.
30 ડિસેમ્બર પહેલા નોટ જમા ન કરાવવાના મુદ્દામાં ડઝન કરતા પણ વધારે અરજીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. એક અરજીમાં અરજકર્તાએ કહ્યુ કે તે પોતાની 66.80 લાખ રૂપિયાની રકમ બેન્કમાં કેવાઇસી ન હોવાને કારણે જમા કરાવી શક્યા નહીં. હવે કોર્ટ દ્વારા લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field