Home દેશ - NATIONAL જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોદી રાત્રે સુરક્ષા દળો દ્વારા 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓને...

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોદી રાત્રે સુરક્ષા દળો દ્વારા 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા

22
0

(જી.એન.એસ) તા. 12

જમ્મુ,

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી હતી જેમાં તા. 9 એપ્રિલથી શરૂ થયેલા એક સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે 2 આતંકવાદી અને શનિવાર સવારે 1 આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યા હતા.

આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં આ કાર્યવાહી ચાલી રહી છે. સેના અને અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સામેલ હતી. ગાઢ જંગલોનો લાભ લઈને, આતંકવાદીઓ ઘણીવાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઝુંબેશ ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા. એન્કાઉન્ટર સ્થળોએથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.   

ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે દેશને આતંકથી મુક્ત રાખવા માટે સેનાની પ્રતિબદ્ધતાની પ્રસંશા કરી છે. ઉત્તરી સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે જનરલ એમવી સુચિન્દ્ર કુમારે કિશ્તવાડમાં આતંકવાદીને મારવા બદલ વ્હાઇટ નાઈટ કોર્પ્સની કાર્યવાહીની પ્રશંસા કરી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field