Home દેશ - NATIONAL ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્ર જે કોઈ પણ ભોગે દુર્યોધનને લાવવા માગે છે સત્તામાં :...

ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્ર જે કોઈ પણ ભોગે દુર્યોધનને લાવવા માગે છે સત્તામાં : કેજરીવાલ

438
0

(જી.એન.એસ), તા.૧૦
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ચૂંટણી પંચ ઉપર EVMમાં ચેડાં કરાયા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદને સંબોધન કરતા ચૂંટણી પંચ ઉપર આ આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 18 EVM સાથે ચેડાં કરવામાં આવ્યા હતા તેમ છતાં ચૂંટણીપંચ તેની તપાસ નથી કરાવી રહ્યું. આ પહેલાં પણ અરવિંદ કેજરીવાલ મધ્યપ્રદેશમાં EVMની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી ચૂક્યાં છે.
કોન્ફરન્સમાં આરોપ લગાવતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે EVMમાં બટન કોઈ પણ દબાવો મત ભાજપને જ જાય છે. કેજરીવાલે કહ્યું કે, EVMનું સોફ્ટવેર અને પ્રોગ્રામિંગ કોડ બદલવામાં આવ્યો છે તેમ છતાં ચૂંટણીપંચ તપાસના આદેશ નથી આપી રહ્યું. કેજરીવાલે ચૂંટણીપંચની વિશ્વસનિયતા પર સવાલ કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્ર છે જે કોઈપણ ભોગે દુર્યોધનને સત્તામાં લાવવા માગે છે.
અરવિંદ કેજરીવલે કહ્યું કે, ફક્ત EVM બદલી નાખવાથી નહીં ચાલે. 10 ટકા EVM સાથે ચેડાં કરવામાં આવ્યા છે. નવા સોફ્ટવેરમાં પણ આ પ્રકારની ગડબડી હોવાનો કેજરીવાલે આરોપ લગાવ્યો છે અને જણાવ્યું કે, EVMમાં બટન દબાવવાથી લાઈટ તો થશે પણ મત ભાજપને જ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field