Home ગુજરાત ગુજરાત માં 150 થી વધુ સ્થળે યોજાશે યોગા કાર્યક્રમ,સ્થાનિક નાગરિકો સાથે સાધુ...

ગુજરાત માં 150 થી વધુ સ્થળે યોજાશે યોગા કાર્યક્રમ,સ્થાનિક નાગરિકો સાથે સાધુ મહંતો રહશે ઉપસ્થિત

374
0

(જી.એન.એસ.,કાર્તિક જાની),તા.૧૯
વિશ્વ યોગ દિવસ માટે ગુજરાત સરકાર એક મહિના પહેલા થી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત માં અલગ અલગ જગ્યા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસ જે લઈ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પત્રકાર સંબોધતા જણાવ્યું કે 21 જૂને પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ વિશ્વ યોગ દિવસમાં 50 હજાર થી વધુ જગ્યા યોગક્રિયા કરવામાં આવશે. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતની અંદર 33 જિલ્લાઓ 8 મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને 1 કરોડ 51 લાખથી વધુ નાગરિકોને સામુહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે યોગ કરવા થી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્તીને અને લોકો માં ફુરતી આવે છે અને દિવસ સારો જાયે છે જેથી દેશ ના દરેક નાગરિકને યોગ કરવો જોઈએ. આ યોગ દિવસના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ના મંત્રીમંડલ પણ યોગ ક્રિયા માં ભાગ લેશે. વિશ્વ યોગ દિવસ અમદાવાદ ખાતે આવેલ GMDC ગ્રાઉન્ડ ઉજવવામાં આવશે જેમાં સ્થાનિક નાગરિકો તેમજ સાધુ-મહંતો પણ ભાગ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field