Home ગુજરાત ગુજરાતમાં 22 વર્ષ સાશન પછી પણ મોદીજીએ ચૂંટણી જીતવા રામ મંદિરનો સહારો...

ગુજરાતમાં 22 વર્ષ સાશન પછી પણ મોદીજીએ ચૂંટણી જીતવા રામ મંદિરનો સહારો કેમ લેવો પડ્યો..?

871
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર)
હવે ગુજરાતની ચૂંટણીમાં મતદાન કરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદી સહિત ભાજના તમામ નેતાઓ રાજ્યના મતદારની અનેક સમસ્યાઓ જેમાં સારા શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી અને ખેતી સહિતના અનેક પ્રશ્નો અને પોતે કરેલા વિકાસની વાતોને કોરાણે મુકી ગુજરાતના મતદારોના મનમાં એક જ વાત ઠસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુજરાતના મુસ્લિમ ભાજપને કારણે કંટ્રોલમાં છે, જો ભાજપ હારી ગયું અને કોંગ્રેસની સત્તા આવી તો મુસ્લિમો આપણને ખતમ કરી નાખશે. કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે, રાહુલ ગાંધીને બાદશાહની ઔલાદ અને ઔરંગઝેબ ગણાવ્યા બાદ હવે અંતે ખુદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં હારથી બચવા રામમંદિરનો મુદ્દો છેડી હિન્દુ સમાજની દુ:ખતી રગ દબાવવાનો પ્રયત્ન કર્યો છે.
એનું એક માત્ર કારણ એવું માનવામાં આવે છે કે, મોદીના ગઢ સમા ગુજરાતમાં અનેક રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. હાલ ભાજપ જેવી રાષ્ટ્રીય પાર્ટીને તેના જ રાજ્યમાં જીતવામાં મુશ્કેલી દેખાઇ રહી છે. કારણ કે ભાજપની જ્યાં જ્યાં જનસભાઓ થાય છે ત્યાં લોકોની પાંખી ભીડ નજરે પડે છે. વળી બહારથી પણ નેતાઓને બોલવવામાં આવે છે ત્યારે તેમની પણ જનસભામાં ઓછા જ લોકો આવે છે. તો બીજી તરફ હાર્દિક પટેલ અને રાહુલની જનસભાઓ વધુ સફળ થઇ રહી છે. ત્યારે આ સંકેત બતાવી રહ્યા છે કે હાલ ગુજરાતમાં ભાજપની સ્થિતિ ચિંતાજનક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં પોતાની સમગ્ર તાકાત નાંખી દીધી એક પછી એક ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. જો કે તેમની સભાને છોડીને જ્યારે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવે છે ત્યારે તેમની જનસભામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોની હાજરી હોય તે પછી યોગી હોય કે દેવેન્દ્ર ફડણવીસ.
30 નવેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે જે સુધારા માટે પગલાં લીધો તેના કારણે તેમને રાજનૈતિક પરિણામ પણ ભોગવવું પડે તેવી સંભાવના છે. અને તે આ માટે તૈયાર છે. તો શું તેમનો આ ઇશારો ગુજરાત માટે હતો?
પીએમ મોદી વખતના ચૂંટણી પ્રચારમાં ભાવુક અપીલ પણ કરી જોઇ. મોરબીમાં વર્ષો જૂનો ઇન્દિરા ગાંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો પણ તેના કારણે તેમની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી, બીજી તરફ હાર્દિક પટેલની રાજકોટ અને સુરતની સભાઓમાં મોટી સંખ્યામાં જનમેદની ઊભી થઇ હતી. જે દર્શાવી રહી છે કે લોકોનો ઝુકાવ બીજી તરફ જઇ રહ્યો છે. ત્યારે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાને ખાલી ત્રણ જ દિવસની વાર છે ત્યારે ભાજપ માટે ડેમઝ કંટ્રોલ માટે પણ સમય ઓછો છે.
અને આને કારણે જ ભાજપે આજ સુધી લોકોના મનમાં મુસ્લિમોના ડરનો જે ફાયદો લીધો તે આજે પણ યથાવત રાખવાનો પ્રયાસ કરી રહી છે. 22 વર્ષ પછી પણ ભાજપ જ્યારે પોતાના પ્રચારના તમામ હથિયારો વાપરી નાંખે છે, ત્યારે ફરી વખત શહેરી મતદારોને મુસ્લિમનો ડર બતાડી, હિન્દુઓની સલામતી ભાજપને આભારી છે તેવો અહેસાસ કરાવે છે. ધંધો કરતા હિન્દુઓની વાત નિકળે ત્યારે તરત કહે છે, તમને ખબર નથી 25 વર્ષ પહેલા મુસ્લિમોનો ત્રાસ કેવો હતો.
ગુજરાતની વસ્તી છ કરોડની છે, જેમાં મુસ્લિમોની વસ્તી 60 લાખની છે. જ્યારે અમદાવદાની વસ્તી કુલ 60 લાખની છે, જેમાં મુસ્લિમોની વસ્તી 7 લાખની છે. આમ વસ્તીની ટકાવારીમાં જુઓ તો ગુજરાતમાં મુસ્લિમો 10 ટકા છે, જ્યારે હિન્દુઓ 90 ટકા છે. છતાં 90 ટકા હિન્દુઓને એવું કેમ સમજાવવામાં આવે છે કે જો ભાજપ હારશે તો આપણને 10 ટકા મુસ્લિમો મારી નાંખશે…!! તોફાન થાય ત્યારે રસ્તા ઉપર સૌથી પહેલા પોલીસ ઉતરી આવે છે, અમદાવાદનું પોલીસદળ 12 હજાર છે જ્યારે ગુજરાતનું પોલીસ દળ 62 હજારનું છે, જેમાં 99.99 ટકા હિન્દુઓ છે. ખાખી કપડા પહેરનાર પોલીસ પણ તોફાન વખતે હિન્દુઓ તરીકે જ વ્યવહાર કરે છે, 2002ના તોફાનમાં અમદાવાદના પોલીસ કમિશનર પી સી પાંડેએ જાહેરમાં એકરાર કર્યો હતો કે તેમની પોલીસ હિન્દુ થઈ ગઈ હતી.. આમ જેના માથે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી છે તેવા પોલીસવાળા પણ હિન્દુ હોય ત્યારે કઈ રીતે ગુજરાતના મુસ્લિમો હિન્દુીઓને મારી શકે?
છતાં ભાજપ વર્ષોથી ગુજરાતના મતદારોને મુસ્લિમોથી ડરાવે અને હિન્દુઓ ડરી પણ જાય છે. જો કે હિન્દુ-મુસ્લિમ મતોનું જે પ્રકારે ધ્રુવીકરણ થયું છે, તેના કારણે કોંગ્રેસ પણ મુસ્લિમ અને તેમના ઉપયોગ કરવાનું ટાળી રહી છે. રાહુલ ગાંધીના ગુજરાતમાં તમામ પ્રવાસમાં રાહુલ એક પણ વખત મુસ્લિમ વિસ્તારમાં ગયા નથી અને મુસ્લિમ અંગે કઈ પણ બોલતા નથી. રાહુલની રેલી અને સભા દરમિયાન ટોપી પહેરોલો કોઈ મુસ્લિમ નજીક ફરકે નહીં અને મુસ્લિમ સાથે રાહુલની તસવીર પ્રસિધ્ધ થાય નહીં તેની કોંગ્રેસ કાળજી લઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોગસ સંસ્થામાંથી બનાવટી ડીબીએ-એમબીએ..?, ફરી છેડાયો શંકરભાઈ ચૌધરીની ડીગ્રીનો વિવાદ….!!?
Next articleભાઇઓ-બહેનો, લાગે છે કે વધામણાંની લાપસી વધારે ખવાઇ ગઇ….!!!!