Home ગુજરાત ગુજરાતમાં કોરોના અનસ્ટોપેબલ: 872 કેસ,10ના મોત

ગુજરાતમાં કોરોના અનસ્ટોપેબલ: 872 કેસ,10ના મોત

288
0

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં આજે રાહતની વાત સામે આવી છે કે, રાજ્યમાં આજે કોરોનાને કારણે માત્ર 10 દર્દીઓનાં જ મોત નિપજ્યા છે. અને તેમાં હવે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે કેમ કે, અમદાવાદમાં સતત કેસોની સંખ્યા 200ની નીચે નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 872 કેસો નોંધાયા હતા. જ્યારે 10 દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને 502 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોનાનાં કેસોનો કુલ આંક 41027 અને મોતનો કુલ આંક 2034 તો ડિસ્ચાર્જનો કુલ આંક 28685 પર પહોંચ્યો છે.

આજે નવા નોંધાયેલ કેસોની વિગત આ પ્રમાણે છે. સુરત કોર્પોરેશન ૧૮૦, અમદાવાદ કોર્પોરેશન ૧૬૬, સુરત ૯૦, વડોદરા કોર્પોરેશન ૪૨, ભાવનગર કોર્પોરેશન ૩૭, વડોદરા ૩૦, રાજકોટ કોર્પોરેશન ૨૯, ભરૂચ ૨૩, ખેડા ૨૦, મહેસાણા ૧૯, નવસારી ૧૭, વલસાડ ૧૭, જુનાગઢ કોર્પોરેશન ૧૬, ગાંધીનગર ૧૪, ગાંધીનગર કોર્પોરેશન ૧૪, અમદાવાદ ૧૨, બનાસકાંઠા ૧૨, ભાવનગર ૧૨, રાજકોટ ૧૨, કચ્છ ૧૦, સુરેન્દ્રનગર ૧૦, જામનગર ૯, સાબરકાંઠા ૯, આણંદ ૮, ગીર સોમનાથ ૮, જુનાગઢ ૮, મોરબી ૭, નર્મદા ૭, મહીસાગર ૬, પંચમહાલ ૫, પાટણ ૫, અમરેલી ૪, અરવલ્લી ૪, દાહોદ ૩, બોટાદ ૨, જામનગર કોર્પોરેશન ૨, છોટા ઉદેપુર ૧, દેવભૂમિ દ્વારકા ૧, પોરબંદર ૧ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૦૩૦૮ પર પહોંચી ગઈ છે. જેમાં ૭૩ દર્દીઓની હાલત નાજુક છે, જ્યારે ૧૦૨૩૫ દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત કોર્પોરેશન ૩, દાહોદ ૧, કચ્છ ૧, પાટણ ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનલોક ગુજરાતમાં કોરોના બન્યો વિકરાળઃ સતત બીજા દિવસે 800થી વધુ કેસ,14ના મોત
Next articleકૉંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે યુવા નેતા હાર્દિક પટેલની નિયુક્તિ