(જી.એન.એસ.)ગાંધીનગર,તા.27
ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તેમને તાવ આવતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં તેઓ હોમ કૉરોન્ટઇન થયા છે. રાજ્ય ના મોટા નેતાઓ માં આ પ્રકારનો આ પહેલો બનાવ છે. તેઓ છેલ્લા ત્રણ દિવસ માં અનેક લોકો ને મળ્યા હોવાની પણ ચર્ચા છે.