(જી.એન.એસ),તા.૧૬
ગાંધીનગર,


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના બીજા તબક્કા અંતર્ગત વોર્ડ -9 માં S.S.V. સ્કૂલ, સેકટર-3 ખાતે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ હાજરી આપીને રથને પ્રસ્થાન કરાવ્યું અને આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે નાગરિકોને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓના લાભ સહિત નિઃશુલ્ક આરોગ્યની સુવિધાનો લાભ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કાઉન્સિલરશ્રીઓ, કમિશનરશ્રી જે.એન વાઘેલા, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.