Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના કલોલમાં એક સોસાયટીમાં તસ્કરો 1,44,000 હજારથી પણ વધુની મત્તા લઈ ફરાર

ગાંધીનગરના કલોલમાં એક સોસાયટીમાં તસ્કરો 1,44,000 હજારથી પણ વધુની મત્તા લઈ ફરાર

41
0

કલોલ રેલવે પૂર્વમાં માનવ મંદિર સોસાયટીમાં રહેતા લીલાબેન ઈશ્વરભાઈ જાદવ જેમનો મોટો દીકરો વિક્રમ ગાંધીનગર ખાતે રહેતો હોવાથી તારીખ 6/10 ના રોજ નાના દીકરા સૌરભને લઈને ગાંધીનગર ખાતે મોટા દીકરાને ત્યાં એક અઠવાડિયા માટે રોકાવા માટે ગયા હતા. મોટા દીકરાને ત્યાં રોકાઈને એક અઠવાડિયા બાદ પોતાના ઘરે કલોલ ખાતે આવી ગયા હતા. આવીને ઘરનો દરવાજો ખોલતાની સાથે જ ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો.

જેથી ઘરમાં તપાસ કરતાં જોવા મળ્યું કે ઘરના મુખ્ય રૂમની બારી અને દરવાજો ખુલ્લો હતો. તેમજ બારીની બહારની સાઈડ મારેલી લોખંડની ગ્રીલ પણ તૂટેલી હતી. જેથી લીલાબેન ઘરના બીજા રૂમ બાજુ જઈને જોતા તે રૂમનો પણ સરસામાન વેરવિખેર પડ્યો હતો. તેમજ રૂમમાં પડેલી લોખંડની તિજોરી પણ તૂટેલી હતી.

તેનો સામાન બહાર કાઢતા જાણવા મળ્યું 6 જેવા ઘરેણા સોનાની બંગડી, એક સોનાની ચેન, ચાંદીની જાજરી, ચાંદીની પાયલ, ચાંદીના સિક્કા તેમજ ચાંદીનો જુડો એમ કુલ 1,42,000 ના તો દાગીના જ હતા. તેમજ 2000 રૂપિયા રોકડા તેમ કુલ ₹1,44,500 ની ચોરી થઈ હતી.

જેથી જાદવ લીલાબેન પોતાના ઘરમાંથી 1,44,000થી પણ વધારે નીમતા ચોરી થઈ હોવાનો ગુનો કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field