ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર સવારે એક ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ આગને ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. જ્યારે ઘટનાના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ નુકસાની અંગેની કોઈ વિગત હાલ પ્રાપ્ત થઈ નથી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આશરે 15 કિલોમીટર દૂર કજૂરડા ગામ પાસે સ્થિત એક ખાનગી કંપનીની નજીકના હાઇ-વે માર્ગ પર માલસામાન ભરેલા એક ટ્રકમાં આગ ભભૂકી ઊઠી હતી.
કોઈ અકળ કારણોસર લાગેલી આ આગને ખાનગી કંપનીના ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આગના આ બનાવથી થોડો સમય વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જો કે, નુકસાની અંગેની કોઈ સત્તાવાર વિગત સાંપળેલી નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.