Home ગુજરાત કોમેડિયન ભારતી સિંહે પરિવાર સહિત કર્યા માં અંબાના દર્શન, કરાવી બાળકની મુંડન...

કોમેડિયન ભારતી સિંહે પરિવાર સહિત કર્યા માં અંબાના દર્શન, કરાવી બાળકની મુંડન વિધિ

91
0

(જી.એન.એસ) તા. 25

દાંતા,

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી, ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરમાં નેતાઓ, બોલીવુડ સેલીબ્રીટી સહીત ઘણાય ભક્તો દર્શન કરવા આવે છે, જયારે ઘણા ભક્તો પોતાના સંતાનોની બાબરી ઉતરાવવા માટે પણ આવતા હોય છે. ગુજરાતમાં સૌથી વધુ બાબરી બહુચરાજી અને અંબાજી ખાતે ઉતરે છે. બોલીવુડ ની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંહ પણ પોતાના પતિ હર્ષ લીમ્બાચીયા અને દિકરા લક્ષસિંહ સાથે શનિવારે સવારે અંબાજી આવ્યા હતા જ્યાં તેમને માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઉતરાવી હતી. અંબાજી ખાતે વહેલી સવારે આવેલા ભારતી સિંહ, હર્ષ લીંબાચીયા તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા. હર્ષ લીમ્બાચીયાના પપ્પાએ જણાવ્યું હતું કે મારા પુત્રની બાબરી પણ વર્ષો પહેલા અંબાજીના માન સરોવર ખાતે ઉતરાવી હતી અને આજે આ પરંપરા અમે ચાલુ રાખી છે. 3 એપ્રિલ 2022 ના રોજ મુંબઈ ખાતે જન્મેલા લક્ષસિંહ ભારતી સીંઘ અને હર્ષ લીમ્બાચીયા નું પ્રથમ સંતાન છે.

અંબાજીના માન સરોવર ખાતે બોલીવુડની જાણીતી કોમેડી કલાકારે પોતાના સંતાનની બાબરી ઉતરાવી હતી. અંબાજી ખાતે બાબરી ઉતરાવીને તેઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોચ્યાં હતાં અને અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી અને અંબાજી મંદિરમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field