(જી.એન.એસ.)જનક પુરોહિત
અત્યારે વિધાનસભા સત્ર ચાલુ હોવાથી દોઢડાહ્યા ને રોજેરોજ ગુજરાતભરના ભાજપ – કોંગ્રેસ ના નેતાઓ સાથે સંવાદ કરવાની પુરતી તક મળે છે . આવો જ એક સંવાદ કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક નેતા સાથે થયો . દોઢ ડાહ્યાને હાથ પકડી ખૂણામાં ખેચી જઈને નેતાએ હળવેક થી પૂછ્યું “ કેમ ચાલે છે આ વિધાનસભા , અમારા નેતા ધાનાણી સફળ કે નિષ્ફળ ? ” દોઢ ડાહ્યા એ વળતો સવાલ કર્યો “ તમારા ધારાસભ્યો અને પક્ષના નેતાઓ ધાનાણી ને નેતા તરીકે સ્વીકારે છે ખરા ? ” તો જવાબ મળ્યો “ સ્વીકારવા તો પડે જ ને અમારા રાહુલ જી નો નિર્ણય છે . ”
નેતાને કહેવું પડ્યું કે , નિર્ણય જેનો હોય તેનો , પરંતુ વિધાનસભામાં તોફાની વિદ્યાર્થીઓ શિક્ષક નાં આદેશને માનતા નથી . બે ધારાસભ્યો ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ થયા , તેમાં નેતાનો આદેશ ન માનવાનું પણ એક કારણ છે .
ફરી નેતાએ પ્રશ્ન કર્યો “ આ વખતે તો સંખ્યાબળ વધ્યું છે , તો તેની કોઈ અસર ન રહી ? ”
દોઢ ડાહ્યાએ કહ્યું “ સંખ્યાબળ વધ્યું , પરંતુ પ્રભાવશાળી સભ્યોની સંખ્યા ઘટી , એટલે સંખ્યા વધવા છતાં અવાજ દબાયેલો જ રહે છે . નવા નવા ધારાસભ્યો ની સંખ્યા વધી છે . જેમને ગ્રામ પંચાયત નો જ અનુભવ છે . તેઓ ગૃહમાં એ રીતે વર્તે છે . જોકે ભાજપની પણ એજ સ્થિતિ છે . પરંતુ તેમની આગલી હરોળ મજબુત છે . એટલે ફાવે છે . બાકી કોંગ્રેસની આગલી હરોળે ગુજરાતની જનતા ને નિરાશ કરી છે.
નેતા દુઃખી થવાના બદલે જાણે મનોમન ખુશ થતાં હોય એ રીતે બોલીને છુટા પડ્યા “ અમને તો ખબર જ હતી .”
આ વખતનો ઉનાળો ભાજપ માટે આકરો સાબિત થશે
પ્રગતિનગર ગાર્ડનમાં સવારે યોગ – કસરત બાદ બાકડા પરિષદ શરુ થઇ . ધીરુભાઈ માસ્તરે છાપાના બે પાનાં ઉથલાવીને કહ્યું “ આ વખતનો ઉનાળો ભાજપ માટે આકરો સાબિત થશે . ”
છોટુભાઈ એ કહ્યું “ અલ્યા માસ્તર , ઉનાળો આકરો હોય તો ભાજપને દજાડે અને કોંગ્રેસને ઠંડક આપે . ”
દોઢ ડાહ્યાએ કહ્યું “ ધીરુભાઈ ની વાતમાં દમ છે . ભાજપને દજાડશે અને કોંગ્રેસને ઠંડક આપશે .એટલા માટે કે ગુજરાતની જીવાદોરી નર્મદાનું રાજકારણ શરુ થશે . પાણીનો કાપ આવશે . પ્રજામાં અસંતોષ , ઉગ્રતા અને આંદોલનનો મિજાજ જોવા મળશે . જેનાથી ભાજપ દાજશે . અને આંદોલનની તક મળતા કોંગ્રેસને ઠંડક મળશે . ” પંડ્યા સાહેબે કહ્યું “ સાલું મને તો એ નથી સમજાતું કે સરદાર સરોવર બંધ ઉપર દરવાજા ન હતા . પાણી દરિયામાં જતું રહેતું હતું અને છતાંય બંધમાં પાણી ખૂટતું ન હતું . હવે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તત્કાળ દરવાજાની મંજુરી આપી દીધી . દરવાજા ફીટ થઇ ગયા પછી આખું ચોમાસું પાણી – પુર આવ્યા . છતાં પાણી જતું રહ્યું ? દરવાજા બંધ નહોતા થયા ? કે ખાળે ડુચા અને દરવાજા મોકળા રહ્યા હતા ! ”
ભાજપના જ સક્રિય કાર્યકર ભટ્ટજી બોલ્યા “ સાહેબ એવી ચર્ચા ચાલે છે કે મધ્યપ્રદેશ માં ચુંટણી આવે છે ને એટલે ત્યાં ખેડૂતોને ખુશ રાખવા પાણીનો વધુ જથ્થો અપાયો . મધ્યપ્રદેશમાં નર્મદા નદી ઉપર ૧૦ જેટલા બંધ આવેલા છે . આ વખતે પાણી ઓછું આવ્યું તેનું આ પરિણામ છે . ”
પંડ્યા સાહેબે કપાળ કુટતાં કહ્યું “ શું જમાનો આવ્યો છે ! લોકોના પીવાના પાણીમાં પણ રાજકારણ ચાલે છે . આ ભાજપવાળાઓ ને કોઈનો ડર જ રહ્યો નથી .”
ભટ્ટજી એ ટહુકો કર્યો “ લોકો ખોબલે ખોબલે મત આપે છે , પછી કોનાથી ડરવાનું ! ”
ભટ્ટજી સામે સહુકોઈ એ તિરસ્કાર ભરી નજર કરી અને વાત પડતી મુકાઈ .
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સંગઠન સ્થગિત
૨૦૧૭ ની વિધાનસભા ચુંટણી પછી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સંગઠનમાં સ્થગિતતા આવી ગઈ છે . કાર્યકરો પાસે કોઈ કામ નથી . કોંગ્રેસનું દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું . ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકીના રાજીનામાની અફવા અને અટકળો શરુ થયા . ભાજપમાં સંગઠનમાં વ્યાપક બદલાવની વાતો રોજેરોજ વિધાનસભાની લોબીમાં સાંભળવા મળે છે . દોઢડાહ્યો મનોમન વિચારે છે કે ગુજરાતના રાજકારણને થયું છે શું ? બંને પક્ષ પરિણામોથી ખુશ હતા . ભાજપને ફરી સત્તા મળી માટે ખુશ અને કોંગ્રેસની બેઠકો ૫૨ થી ૮૦ થઇ તેનાથી ખુશ હતા . આ ખુશી પછી આત્મસંતોશી નેતાઓ આરામ કરી રહ્યા છે કે શું ?
ભાજપના એક નેતા સાથે ફોન પર વાતચીત દરમિયાન દોઢ ડાહ્યાએ આ વિમાસણ રજુ કરી . નેતાએ કહ્યું “ ભાજપમાં પ્રદેશ પ્રમુખનો નિર્ણય જે તે સમયે ચાલતા પાટીદાર આંદોલનને ધ્યાને રાખીને કરાયો હતો . એમ હતું કે સૌરાષ્ટ્રના પાટીદાર યુવાનને પ્રદેશ પ્રમુખ બનાવીએ તો પાટીદારો ખુશ થશે . પરંતુ આ ગણિત કામ આવ્યું નહિ . સૌરાષ્ટમાં બેઠકો ઘટી . નિષ્ફળતા પક્ષને અને પ્રમુખને બંને ને ઢીલા પડી દે છે . હવે ચર્ચા ચાલેછે કે વિધાનસભા સત્ર બાદ સંગઠનમાં આમૂલ પરિવર્તન થશે . પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો બદલાશે . લોકસભાની ચુંટણી ને ધ્યાનમાં રાખી ફેરફારો થશે . જોઈએ આપણા નરેન્દ્રભાઈ સમય ફાળવી શકે તો જ આ ફેરફારો થઇ શકે . અને કોંગ્રેસની તો પરંપરા જ છે કે દરેક ચુંટણી પછી પ્રદેશ પ્રમુખે રાજીનામું આપવું પડે છે . ભલે તે રાજીનામાં અંગે નિર્ણય લેવામાં હાઈકમાન્ડ એક દોઢ વર્ષ લગાવે . ”
આ નેતાની વાતમાં તથ્ય તો છે જ . દરેક ચુંટણી પછી પ્રદેશ પ્રમુખ રાજીનામું આપે જ છે . પરંતુ ભાજપની વાત અલગ છે . તેમાં સફળતા આપણા નરેન્દ્રભાઈ અને ચાણક્ય અમિત શાહ નાં કારણે જ મળે છે . અને નુકસાન સ્થાનિક નેતાઓના નામે ઉધારાય છે . આ સ્થિતિમાં સ્થાનિક નેતાઓ માટે જોખમ તો છે જ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.