તારીખ ૨૨/૦૪/૨૦૨૩, શનિવાર ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ની જયંતિ નિમિત્તે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મણીનગરના જવાર ચોક ચાર રસ્તા પર કેસરિયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને એએમટીએસના સભ્ય શાર્દુલભાઇ દેસાઈ (શાહ) ની આગેવાનીમાં પરશુરામ જયંતિ ની યાત્રામાં પધારેલ મહેમાનો માટે તેમજ રાહદારીઓ ને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું. કેસરિયા યુથ ફેડરેશનના સભ્યો શરદભાઈ પટેલ, દિપેશભાઈ સથવારા, રાકેશભાઈ મહેતા, ધ્રુમિતભાઈ ઠક્કર, નિશ્ચલભાઈ પટેલ, જયભાઈ દેસાઈ, જાેલીભાઈ અધ્યારૂ હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.