(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર બિહાર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનાં પુડુચેરી સાથે ખભેખભો મિલાવીને ઊભી છે, જેમણે ગયા વર્ષે કુદરતી આપત્તિઓનો સામનો કર્યો હતો. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (એચએલસી)એ વર્ષ 2024 દરમિયાન પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાનથી પ્રભાવિત બિહાર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીને રૂ.1280.35 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે.
એચએલસીએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી ત્રણ રાજ્યોને રૂ. 1247.29 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી હતી, જે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માં ઉપલબ્ધ વર્ષ માટે પ્રારંભિક બેલેન્સના 50 ટકા અને એક કેન્દ્રશાસિત પ્રદેશને રૂ. 33.06 કરોડની ફાળવણીને આધિન છે. કુલ 1280.35 કરોડ રૂપિયાની રકમમાંથી બિહાર માટે 588.73 કરોડ રૂપિયા, હિમાચલ પ્રદેશ માટે 136.22 કરોડ રૂપિયા, તમિલનાડુ માટે 522.34 કરોડ રૂપિયા અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માટે 33.06 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
આ વધારાની સહાય એસડીઆરએફ અને યુનિયન ટેરિટોરિયલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (UTDRF)માં રાજ્યોને કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ભંડોળ ઉપરાંત છે, જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના નિકાલ પર પહેલેથી જ મૂકવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કેન્દ્ર સરકારે એસડીઆરએફ અંતર્ગત 28 રાજ્યોને રૂ. 20,264.40 કરોડ અને એનડીઆરએફ હેઠળ રૂ. 5,160.76 કરોડ 19 રાજ્યોને આપ્યાં છે. આ ઉપરાંત 19 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (SDMF)માંથી રૂ. 4984.25 કરોડ અને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (NDMF)માંથી 08 રાજ્યોને રૂ. 719.72 કરોડ પણ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે આપત્તિઓ પછી તરત જ આ રાજ્યોમાં આંતર-મંત્રાલયીય કેન્દ્રીય ટુકડીઓ (IMCT)ને ઔપચારિક મેમોરેન્ડમ મળવાની રાહ જોયા વિના નિયુક્ત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.