Home ગુજરાત કુંડલા નજીક એસટી બસ હડફેટે સાયકલ ચાલક આધેડનું મોત

કુંડલા નજીક એસટી બસ હડફેટે સાયકલ ચાલક આધેડનું મોત

29
0

સાવરકુંડલામા ગીરધરવાવ નજીક બપોરના અહીથી સાયકલ લઇને પસાર થતા એક આધેડને એસટી બસના ચાલકે હડફેટે લેતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના સાવરકુંડલામા ગીરધરવાવ નજીક બની હતી. બાઢડામા રહેતા એક આધેડ પોતાની સાયકલ લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ જામનગર મહુવા રૂટની એસટી બસના ચાલકે તેમને હડફેટે લીધા હતા.

અકસ્માતમા આધેડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. મૃતક આધેડની લાશને પીએમ માટે અહીની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાણસાનાં ઇટાદરા ગામે વૃદ્ધાને પોલીસની ઓળખાણ આપી ગઠિયો રોકડાં ભરેલું પર્સ સેરવી ગયો
Next articleઅંકલેશ્વરમાં પોલીસના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો