(GNS),22
બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન એવા કેટલાક સ્ટાર્સમાંથી એક છે, જેમને બહુ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં મોટું નામ કમાવ્યું છે. તેની હાલની રીલિઝ ફિલ્મમાં શહેઝાદા સિવાય સત્યપ્રેમ કી કથા અને ભૂલ ભૂલૈયા 2 એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો અને જોરદાર કમાણી કરી. પરંતુ કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન પોતાની ઈચ્છા મુજબ કાર પણ ખરીદી શકતો નથી. તો જાણો એવું કેમ છે? કાર્તિક આર્યને આ વાતનો ખુલાસો કર્યો છે..
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કાર્તિક આર્યનએ જણાવ્યું હતું કે તે જે કંઈ પણ કમાય છે, તેના પૈસાથી સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શન અને બેંકિંગ તેની માતા ધ્યાન રાખે છે. તેને કહ્યું, “મારી માતા મારા પૈસાની સંભાળ રાખે છે. મને ખબર નથી કે મારા ખાતામાં કેટલા પૈસા છે અથવા કોઈ પૈસા છે કે નહીં. તેના તાજેતરના કિસ્સો કહેતા એક્ટરે કહ્યું, “હું મારા જન્મદિવસ પર કાર ખરીદવા માંગતો હતો, પરંતુ મારી માતાએ પૈસા ન હોવાનું કહીને ના પાડી દીધી હતી. તેને કહ્યું કે કદાચ આવતા વર્ષે અથવા થોડા સમય પછી, પરંતુ હવે તે લઈ શકતો નથી..
કાર્તિક આર્યનએ કહ્યું કે તેની માતા તેને જે કહે તે માનવા સિવાય તેની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તેને કહ્યું કે “મને એ પણ ખબર નથી કે કેવી રીતે ચેક કરવું (એકાઉન્ટમાં પૈસા). મને ખબર નથી કે તે કયું એકાઉન્ટ છે.” કાર્તિકે કહ્યું કે ક્યારેક મને ગુસ્સો આવે છે કે તમે (મા) મને કંઈપણ ખરીદવા માટે મંજૂરી નથી આપતી. તેને કહ્યું કે આ માત્ર કારની વાતને લઈને નથી. આ તો નાની નાની વસ્તુઓ માટે છે, જેમ કે મારું રેસ્ટોરન્ટનું બિલ, જો મારું બિલ વધારે હોય છે તો તે સવાલ કરે છે, “આટલું ખાવાનું કેવી રીતે ખાદ્યું, જ્યારે ડાયટ પર છે”..
પરંતુ કાર્તિક આર્યનને આટલું સહન કર્યા પછી પણ તેની માતા માલા તિવારી પર ગર્વ છે. તેની માતાએ તેના પુત્રના તમામ વ્યવહારોની જવાબદારી લેવા માટે તેની મેડિકલ પ્રેક્ટિસ છોડી દીધી હતી. આ એટલા માટે કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેનો પુત્ર પૈસાનો દુરુપયોગ કરે. તેને કહ્યું, “તે નથી ઈચ્છતી કે હું બગડી જાઉં. તેમને લાગે છે કે હું હજુ પણ ખરાબ થઈ શકું છું. મેં એવું જીવન જીવ્યું છે કે જેમાં મેં મારી કમાણી કરતા વધુ ખર્ચ કર્યો છે, તેથી તેઓએ નક્કી કર્યું છે મને પોકેટ મની જ આપે, તે સુધારો થશે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.