Home ગુજરાત કલેકટર બનાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનો પ્લોટ પડાવી લીધો..

કલેકટર બનાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનો પ્લોટ પડાવી લીધો..

548
0

(જી.એન.એસ ગાંધીનગર) તા.23/09

ધનજી ધૂતારો છે તે વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે.કેમ કે ધૂતારા ધનજીના મોજ શોખ ઊંચા હતા ધનજીને ટુક સમયમાં રાતો રાત માલામાલ બની જવા ઢબુડી માતાજી મને આવે છે અને હું લોકોના દુઃખ દર્દ દૂર કરીશ આવું એક નાટક કરી લોકોની આસ્થા સાથે ચેડા કરી લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી આવનાર ભક્તો પાસેથી મંદિરના નામે રૂપિયા પડાવા લાગ્યો અને રાતો રાત અમીર બની ગયો.

જયારે ધનજી વિરુદ્ધ આક્ષેપ થયા ત્યારે ધનજીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના ભક્તોને સમજાવવા એવું કહ્યું હતું કે હું કોઈના પાસેથી પૈસા લેતો નથી.મારી પાસે કોઈ જમીન કે પ્લોટ નથી. ત્યારે અમે તમને જણાવી દઈએ કે જે વાત ધનજીએ કહી હતી તે બિલકુલ જૂઠ સાબિત થઈ છે.

આજે GNSની ટિમ એક એવી સત્ય હકીકત સુધી પહુચી ગઈ જ્યાં ધનજીએ આસ્થાના નામે કરોડો રૂપિયા ભેગા કર્યા અને કરોડોનું સોનુ બિલ વગર માતંગી જવેલર્સ માં ઓગાળી નાખ્યું અને કેટલાક લોકોની જમીન પણ પચાવી પાડી. જેથી આજે ધનજીની ચૂંદડી પાછળની કહાની જણાવવા જઈ રહ્યા છીએ તમે જાણશો અને સાંભળશો તો દંગ રહી જશો. ધનજીએ સુરતના રહેવાસી ને એવું કીધું કે હું તમારા છોકરાને કલેકટર બનાવી દઈશ તમે મને એના બદલે શું આપશો. ત્યારે સેવકે જણાવ્યું કે હું તમને માડી પ્રેમ સિવાય શુ આપી શકું. ત્યારે ધનજીએ એમ કીધું કે મારે પ્રેમ નથી જોઈતો મારે રહેવા માટે મકાન જોઈએ છે. ત્યારે સુરતવાસી ભક્તે દીકરાના કલેકટર બનાવવાની લાલચમાં પ્લોટ ધનજીને આપી દીધો. અને આ પ્લોટ ધનજીએ એની પત્ની પવનબેનના નામેં કરાવી લીધો. પરંતુ સુરતના સેવકનો દીકરો કલેક્ટર ન બની શક્યો જેથી તે ઢોંગી ધનજી પાસે ગયો અને એને કીધું કે માતાજી તમે કીધું કે મારો છોકરો કલેક્ટર બની જશે અને આજે પરિસ્થિતિ કઈ જુદી આવી ગઈ છે અને મારો છોકરો કલેક્ટર ન બની શક્યો..?

ઢોંગી ધનજીની ઓળખાણો ઘણી મોટી હોવી જોઈએ જેના કારણે જ ધનજીનો ખલે ખતમ હજુ સુધી થયો નથી.અને આના કારણે જ ધનજી બિન્દાસ્ત પોતાની રમત લોકોની આસ્થા સાથે રમી રહ્યો હતો અને એના કારણે હજુ ધનજી ઉપર કોઈ કાર્યવાહી થઈ રહી નથી. સુત્રોથી એવી પણ માહિતી આવી રહી છે.કે ધનજીની જે આવક થતી હતી.તેમાં થોડો ભાગ ઉપર સુધી જતો હતો. હવે સવાલ તો તંત્ર સામે પણ ઉભો થાય છે.કેમ કે એક બાજુ સરકાર કાળાંનાણાં બહાર લાવવાની વાતો કરે છે તો કેમ ધનજીના કાળાનાણાની તપાસ કરવામાં આવતી નથી..? ધનજીનું જ્યાં બિલ વગર સોનુ ઓગળ્યું માતંગી જેવેલર્સમા ત્યાં કેમ હજુ સુધી તપાસ કરવામાં આવી નથી..? જો આ જેવેલર્સની કદાચ કડક તપાસ થાય તો કેટલુ સોનું ચોરીનું ઓગળ્યું છે તે પણ કદાચ બહાર આવે તો નવાહી નહીં..

ત્યારે જી.એન.એસ ન્યુઝ તરફથી બસ એક જ સલાહ છે કે આવા ધૂતારા ધનજી જેવા લેભાગુ અને અંધશ્રદ્ધા ફેલાવનાર લોકોથી ચેતવાણી જરૂર છે.ધનજી લોકોના દુઃખ દૂર કરી શકતો હોય અને કલેકટરની પરીક્ષામાં પાસ કરવી શકતો હોય તો તેના બે છોકરા છે. કેમ એના છોકરાને ધોરણ 10મા પાસ કરાવી નથી શકતો…?

અમારો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવવાનો નથી. પરંતુ આવા લોભીયા કોઈને લુટીના જાય એજ ઉદ્દેશ મીડિયાનો છે.

Previous articleઓનલાઇન તીનપત્તી ગેમની ચીપ્સ ખરીદી છેતરપીંડી કરતા બે આરોપી ઝડપાયા
Next article1 કરોડ 26 લાખ હિન્દીભાષીની માંગ, ભાજપ અલ્પેશને ટિકિટ ન આપે